ગુજરાત

gujarat

અરવલ્લી: રાહત પેકેજમાં ચાર તાલુકાની બાદબાકી, કોંગ્રેસે બળદગાડા સાથે રેલી યોજી આપ્યું આવેદન

By

Published : Nov 28, 2019, 8:30 PM IST

Updated : Nov 28, 2019, 9:49 PM IST

અરવલ્લી: જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ પાક નુકસાનની સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં જિલ્લાના માત્ર બાયડ અને મોડાસા તાલુકાને બાદ કરી અન્ય ચાર તાલુકાના ખેડૂતો સહાયથી વંચિત રખાતા જિલ્લા કોંગ્રેસ દ્વારા બળદ ગાડામાં કાળી પટ્ટી ધારણ કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

protests by Congress in Aravalli
બળદગાડા સાથે રેલી યોજી

અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સિઝનમાં 105 ટકા કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. તેમજ ત્યારબાદ થયેલા કમોસમી વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન અને કઠોળ જેવા પાકો સંપૂર્ણ પણે નિષ્ફળ ગયા છે. ખેડૂતોએ લીધેલા પાક વીમા અંગે પણ વીમા કંપનીઓએ હાથ અધ્ધર કરી લીધા છે. ત્યારે સરકારી રાહત જ ખેડૂતો માટે એક માત્ર ટકી રહેવા આધારભૂત છે.

રાહત પેકેજમાં ચાર તાલુકાની બાદબાકી

સરકારે સમગ્ર ગુજરાતમાં થયેલા ખેડૂતોને પાક નુકસાન બાબતે 3795 કરોડની સહાય જાહેર કરી છે. જેમાં જિલ્લાના કુલ 6 તાલુકાઓમાંથી માત્ર બાયડ અને મોડાસા તાલુકાના ખેડૂતોના જ યાદીમાં નામ છે. સરકારી તંત્રની બેદરકારીના કારણે બાકીના માલપુર, મેઘરજ, ભિલોડા અને ધનસુરા તાલુકાના એક પણ ખેડૂતને સહાય પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે જિલ્લાના ખેડૂતોની પડ્યા પર પાટુ જેવો ઘાટ થવા પામ્યો છે. આ બાબતને લઇ ગુરૂવારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ બળદ ગાડુ લઇ કાળી પટ્ટી આંખો પર બાંધી સરકારને જગાડવા ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી બાકી 4 તાલુકાઓના ખેડૂતો ને સહાય યાદીમાં સમાવવાની માગ કરી હતી.

Intro:રાહત પેકજમાં અરવલ્લી જિલ્લાના ચાર તાલુકાઓની બાદબાકી થતા કોંગ્રેસે બળદગાડામાં આવી કલેકટરને આવેદનપત્ર આપ્યુ

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લા માં તાજેતર માં થયેલ કમોસમી વરસાદ બાદ પાક નુકશાની ની સરકારે જાહેર કરેલ સહાય માં જિલ્લા ના માત્ર બાયડ અને મોડાસા તાલુકા ને બાદ કરી અન્ય ચાર તાલુકા ના ખેડૂતો સહાય થી વંચિત રહેતા જિલ્લા કોંગ્રેસ દ્વારા બળદ ગાળા માં કાલી પેટ્ટી ધારણ કરી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું.

Body:અરવલ્લી જિલ્લા માં ચાલુ ચોમાસા ની સિઝન માં 105 ટકા કરતા વધુ વરસાદ ખાબક્યો છે ત્યારબાદ થયેલ કમોસમી વરસાદ ના કારણે જિલ્લા ના તમામ તાલુકાઓ માં ખેડૂતો ના મગફળી કપાસ સોયાબીન અને કઠોળ જેવા પાકો સંપૂર્ણ પણે નિષ્ફળ ગયા છે ખેડૂતો એ લીધેલ પાક વીમા અંગે પણ વીમા કંપનીઓ એ હાથ અધ્ધર કરી લીધા છે ત્યારે સરકારી રાહત જ ખેડૂતો માટે એક માત્ર ટકી રહેવા આધારભૂત છે.

સરકારે સમગ્ર ગુજરાત માં થયેલ ખેડૂતો ને પાક નુકશાન બાબતે 3795 કરોડ ની સહાય જાહેર કરી છે જેમાં જિલ્લા ના કુલ 6 તાલુકાઓ માંથી માત્ર બાયડ અને મોડાસા તાલુકા ના ખેડૂતો ના જ યાદી માં નામ છે ત્યારે સરકારી તંત્ર ની બેદરકારી ના કારણે બાકીના માલપુર મેઘરજ ભિલોડા અને ધનસુરા તાલુકા ના એક પણ ખેડૂત નો સહાય પેકેજ માં સમાવેશ કરવા માં આવ્યો નથી જેના કારણે જિલ્લા ના ખેડૂતો ની પડતા પર પાટુ જેવો ઘાટ થવા પામ્યો છે ત્યારે આ બાબત ને લઇ આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી એ બળદ ગાડું લઇ કાળી પટ્ટી આંખો પર બાંધી સરકાર ને જગાડવા ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને અરવલ્લી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી બાકી 4 તાલુકાઓ ના ખેડૂતો ને સહાય યાદી માં સમાવવા ની માંગ કરી છે
Conclusion:
Last Updated :Nov 28, 2019, 9:49 PM IST

ABOUT THE AUTHOR

...view details