ગુજરાત

gujarat

મેહસૂલ કર્મચારીઓની હડતાળ: અરવલ્લી જિલ્લા કલેકટરે મામલતદાર કચેરીની લીધી ઓચિંતી મુલાકાત

By

Published : Dec 12, 2019, 7:16 PM IST

અરવલ્લી: મહેસૂલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ચાર દિવસથી પડતર પ્રશ્નોને લઇને અચોક્ક્સ મુદ્દતની હડતાળ પર છે. સામાન્ય પ્રજાના રોજબરોજના કામકાજ પર અસર પડી છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લા કલેક્ટરે જનસેવા કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. ઉપસ્થિત અરજદારો પાસેથી તેમની સમસ્યા જાણી તેના સમાધાન માટે અધિકારીઓને સૂચન કર્યું હતું.

arravali
અરવલ્લી

અરવલ્લી જિલ્લાના સેવા સદન પરિસરમાં આવેલ મામલતદાર કચેરી ખાતે દિવસભર હજારો લોકો પોતાના કામકાજ અર્થ આવે છે. કેટલાક અરજદારોને હાલાકીઓ પડતી હોય છે. જો કે, અત્રેના હાજર અધિકારી આ સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી. ત્યારે જનતાની હાલાકીઓને સમજવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ અમૃતેશ ઔરંગાબાદકરે મોડાસાના મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે ઓચિંતી મુલાકાત કરી હતી.

અરવલ્લી જિલ્લા કલેકટરે મામલતદાર કચેરીની લીધી ઓચિંતી મુલાકાત

કલેક્ટરે જનસેવા કેન્દ્ર પહોંચ્યા બાદ કેટલાક અરજદારો સાથે પણ વાતચીત કરી હતી. જ્યાં અરજદારોએ પોતાને પડતી હાલાકીઓ કલેક્ટરને જણાવી હતી. જેમાં એક મહિલાને આધારકાર્ડ કઢાવવા તેમજ તેમાં અપડેટ માટે કેટલીક સમસ્યાઓ હતી. તેનો તાત્કાલિક નિકાલ લાવવા માટે જિલ્લા કલેક્ટરે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. હાલ મહેસૂલ વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આ વચ્ચે કલેક્ટરની આ મુલાકાતથી અરજદારોને થોડી રાહત થઇ હતી. આ ઉપરાંત જિલ્લા સેવા સદન ખાતે મોડર્ન જનસેવા કેન્દ્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેની પણ કલેક્ટરે મુલાકાત લીધી હતી.

Intro:મેહસુલી વિભાગના કર્મચારીઓની હડતાળ વચ્ચે અરવલ્લી જિલ્લા કલેકટરે મામલતદાર કચેરીની લીધી ઓચિંતી મુલાકાત

મોડાસા- અરવલ્લી
મહેસૂલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ચાર દિવસથી અચોક્ક્સ મુદ્દ્તની હડતાળ પર છે ત્યારે સામાન્ય પ્રજાના રોજબરોજ ના કામકાજ પર અસર પડી છે . આ વચ્ચે અરવલ્લી જિલ્લા કલેક્ટરે જનસેવા કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત અરજદારો પાસેથી તેમની સમસ્યા જાણી તેના સમાધાન માટે અધિકારીઓને સૂચન કર્યું હતું.

Body:અરવલ્લી જિલ્લાના સેવા સદન પરિસરમાં આવેલ મામલતદાર કચેરી ખાતે દિવસભર હજારો લોકો પોતાના કામકાજ અર્થ આવે છે . કેટલાક અરજદારોને હાલાકીઓ પડતી હોય છે, જોકે અત્રેના હાજર અધિકારી આ સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી ત્યારે જનતાની હાલાકીઓને સમજવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે આજે મોડાસાના મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે ઓચિંતી મુલાકાત કરી હતી .

કલેક્ટરે જનસેવા કેન્દ્ર પહોંચ્યા બાદ કેટલાક અરજદારો સાથે પણ વાતચીત કરી હતી, જ્યાં અરજદારોને પડતી હાલાકીઓ અંગે કલેક્ટરને જણાવી હતી. જેમાં એક મહિલાને આધારકાર્ડ કઢાવવા તેમજ તેમાં અપડેટ માટે કેટલીક સમસ્યાઓ હતી, તેનો તાત્કાલિક નિકાલ લાવવા માટે જિલ્લા કલેક્ટરે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. હાલ મહેસૂલ વિભાગના કર્મચારીઓ હળતાડ પર ઉતર્યા છે ત્યારે આ વચ્ચે કલેક્ટરની આ મુલાકાતથી અરજદારોને થોડી રાહત થઇ હતી . આ ઉપરાંત જિલ્લા સેવા સદન ખાતે મોડર્ન જનસેવા કેન્દ્ર શરૂ થવા જઇ રહ્યું છે, જેની મુલાકાત પણ કલેક્ટરે લીધી હતી..
Conclusion:

ABOUT THE AUTHOR

...view details