ગુજરાત

gujarat

SP University: શિરીષ કુલકર્ણીના સાડા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો અંગે પુર્નવિચારણાની માંગ

By

Published : Mar 30, 2022, 4:06 PM IST

SP યુનિવર્સિટીના કુલપતિપદેથી પદભ્રષ્ટ કરાયેલા શિરીષ કુલકર્ણી સાડા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો ગેરકાયદેસર, આપખુદશાહી અને મનસ્વીપણે લેવાયા છે. પુર્નવિચારણા કરવા જીવકરણ ગૃપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના મેનેજીંગ ટ્રસ્ટી(Managing Trustee) ગંભીરસિહ ગઢવીએ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ કુલપતિ ડો.નિરંજન પટેલને લેખિત રજૂઆત કરાતા શિક્ષણ જગતમાં ચર્ચાઓ શરૂ થઇ છે.

SP University: શિરીષ કુલકર્ણીના સાડા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો અંગે પુર્નવિચારણાની માંગ
SP University: શિરીષ કુલકર્ણીના સાડા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો અંગે પુર્નવિચારણાની માંગ

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના(Sardar Patel University) કુલપતિપદેથી પદભ્રષ્ટ કરાયેલા( Chancellor Deposed from post ) શિરીષ કુલકર્ણી સાડા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો અંગે પુર્નવિચારણા કરવા માંગ. ટ્રસ્ટી ગંભીરસિહ ગઢવીએ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ કુલપતિ(Institute of University's Chancellor) ડો.નિરંજન પટેલને લેખિત રજૂઆત કરી હતી.

ડો.નિરંજન પટેલને લેખિત રજૂઆત કરાતા શિક્ષણ જગતમાં ચર્ચાઓ શરૂ થઇ છે.

સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિપદેથી પદભ્રષ્ટ કરાયેલ -સમગ્ર દેશમાં શિક્ષણ નગરી તરીકેની છબી ધરાવતા વલ્લભ વિદ્યાનગરમાં આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિપદેથી પદભ્રષ્ટ કરાયેલ હતા. પ્રોફેસર શિરીષ કુલકર્ણીના આશરે સાડા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો અંગે પુર્નવિચારણા કરવા જીવકરણ ગૃપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના(Institute of Biology Group) મેનેજીંગ ટ્રસ્ટી ગંભીરસિહ ગઢવીએ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ કુલપતિ ડો.નિરંજન પટેલને લેખિત રજૂઆત કરાતા શિક્ષણ જગતમાં ચર્ચાઓ શરૂ થઇ જવા પામી છે.

આ પણ વાંચો:સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

ગંભીરદાન ગઢવી એ યુનિવર્સિટીમાં કરેલી રજૂઆત - તત્કાલીન કુલપતિ શિરીષ કુલકર્ણી દ્વારા લેવાયેલા નિર્ણયો ગેરકાયદેસર, આપખુદશાહી અને મનસ્વીપણે લેવાયા છે. તેઓના નિર્ણયોના કારણે યુનિ. સંલગ્ન સંચાલકો, યુનિવર્સિટી વિભાગોના અધ્યક્ષ અધ્યાપકો, કોલેજોના અધ્યાપકો, યુનિવર્સિટી વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને અન્યાય થયેલા છે. આથી આવા વિવાદાસ્પદ અને નિયમ વિરુદ્વ થયેલ નિર્ણયોની પુર્નવિચારણા કરીને અસરકર્તા તમામને ન્યાય મળે તેવો નિર્ણય લેવો જરુરી હોવાનું રજૂઆતમાં માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો:આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટેકનિકલ ખામીના કારણે 101 વિદ્યાર્થીઓના PHDમાં પ્રવેશ રદ થયા

રજૂઆતમાં 22 મુદ્દાઓ- જેમાં મુખ્યત્વે યુનિવર્સિટી કુલપતિઓની યાદીમાંથી શિરીષ કુલકર્ણીનું નામ રદ્દ કરવા, વિદેશમાંથી દાન મેળવવા અંગેના પ્રમાણપત્ર યુનિવર્સિટી પાસે નથી છતાંયે વર્ષ 2016થી 2022 સુધી યુનિવર્સિટીને મળેલા દાનની તપાસ કરવા, ફેરા અને ફેમાના ઉલ્લંઘન બદલ ન્યાયિક તપાસ કરવા, યુનિવર્સિટીના વાર્ષિક હિસાબોમાં(Annual accounts of the university) નાણાંકીય અનિયમિતતા માટે તપાસ સમિતિ નીમવી(Appoint a committee of inquiry), યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં આગની ઘટનામાં થયેલા નુકસાન બાબતે તત્કાલીન કુલપતિ અને ઇન્સ્ટિટ્યૂટ કુલસચિવ તુષાર મજમુદારની જવાબદારી નક્કી થયેલ નથી. આથી આ મામલે પુન: તપાસ સમિતિ નીમવી, કુલકર્ણી દ્વારા વર્ષ 2016થી 2022 દરમિયાન કરાયેલા નિમણૂંકો બાબતે તપાસ સમિતિ નીમવા, તેઓના કાર્યકાળ દરમિયાન થયેલા કોર્ટ કેસોની પુન:સમીક્ષા કરીને કોર્ટ કેસોનું સમાધાન કરવા તથા યુનિવર્સિટી દ્વારા વકીલોને ચૂકવાયેલા કોર્ટ કેસ ફી શિરીષ કુલકર્ણી પાસેથી વસૂલવા સહિતના મુદ્દાઓનો રજૂઆતમાં સમાવેશ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details