ગુજરાત

gujarat

આદર્શ vaccination center : જાણો શું છે ખાસ

By

Published : Jun 24, 2021, 3:07 PM IST

Updated : Jun 24, 2021, 7:33 PM IST

વિશ્વ યોગ દિવસ 21 જૂન( world yoga day) થી રાજ્યવ્યાપી 'મહારસીકરણ અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે જેમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેર પહેલાં મોટા પ્રમાણમાં નાગરિકોને રસીકરણ પ્રક્રિયામાં આવરી લેવા માટેના ઉદેશ્ય સાથે આ 'મહારસીકરણ અભિયાન'  શરુ કરવામાં આવ્યું છે.ત્યારે વિદ્યાનગરના એક રસીકરણ કેન્દ્રની (vaccination center) ખાસ વાત.

આદર્શ vaccination center
આદર્શ vaccination center

  • વિદ્યાનગરનું વિશેષ vaccination center
  • લાભાર્થીઓને આપવામાં આવે છે privileged facility
  • 10 minutesમાં આવી જાય છે નંબર
  • સાથે ચા નાસ્તો અને શરબત પણ પીરસાય
  • vaccination certificate કરી આપવામાં આવે છે print

આણંદઃ 'મહારસીકરણ અભિયાન'માં સરકાર દ્વારા વિનામૂલ્યે નાગરિકોને મહામારીમાં સુરક્ષિત રાખવા માટે આણંદ જિલ્લામાં 157 કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.રસીકરણ માટે લોકોમાં આવેલ જાગૃતિ બાદ 'મહારસીકરણ અભિયાન'માં સરકારી દવાખાનાઓ અને અન્ય કેન્દ્રો પર સામાન્ય રીતે જોવા મળતો લાભાર્થીઓનો ધસારો ખૂબ વધ્યો છે.જેને કારણે ઘણા કેન્દ્રો પર નાગરિકોને રસી મૂકાવવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તેનાથી વિપરીત આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં એક આદર્શ vaccination center આવેલું છે જ્યાં રસી મૂકાવવામાં નાગરિકોને કોઈ સમસ્યા નડતી નથી. આ કેન્દ્ર આજે એક આદર્શ રસીકરણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

સામાન્ય રીતે રસી મુકાવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક કહેવામાં આવે છે ત્યારે આધારકાર્ડની ઝેરોક્ષ પણ માગવામાં આવતી હોય છે. સાથે રસી મૂકાવ્યાં બાદ સરકાર દ્વારા આપવામાં આવતું સર્ટિફિકેટ બાબતે પણ લાભાર્થીઓને ડાઉનલોડ કરવામાં કે તેને પ્રિન્ટ કરાવવામાં તે બજારમાં ધક્કા ખાવા પડતા હોય છે. વિદ્યાનગર ખાતે VTC( વિદ્યાનગર ટાઉન કલબ) દ્વારા શરૂ કરવામાં આવેલ આ આદર્શ રસીકરણ કેન્દ્ર (vaccination center) પર આવતા નાગરિકોને રજિસ્ટ્રેશનની કામગીરી કલબના વોલેન્ટીયર્સ દ્વારા કરી આપવામાં આવે છે. સાથે જ જે પ્રમાણે આધારકાર્ડની ઝેરોક્ષ કોઈ નાગરિક લાવવાનું ભૂલી ગયો હોય તો તેને પણ કલબના વોલેન્ટીયર્સ દ્વારા સંચાલિત બૂથ પરથી કાઢી આપવામાં આવે છે. જે નાગરિકો માટે એક ઉત્તમ સુવિધા પૂરી પાડે છે.

વિદ્યાનગરના એક રસીકરણ કેન્દ્રની ખાસ વાત

આણંદના વિદ્યાનગર ખાતે VTC દ્વારા સુવિધાસભર રસીકરણ કેન્દ્ર પર (vaccination center) આવતા નાગરિકોને રસી મૂકાવ્યા બાદ સરકાર દ્વારા આપવામાં આવતા certificate ની કોપી પણ કાઢી આપવામાં આવે છે. જેથી રસી મૂકાવ્યા બાદ vaccinated certificate માટે લાભાર્થીએ બહાર જવું પડતું નથી અને vaccination center ખાતે જ લાભાર્થી ને certificate મળી જાય છે.

આ પણ વાંચોઃ જૂનાગઢના યુવાનોએ વૃદ્ધો માટે શરૂ કરી અનોખી સેવા

આ કેન્દ્ર પર VTCના વોલેન્ટીર્સ દ્વારા તમામ પ્રકારના આયોજનનું ધ્યાન રાખવામાં આવે છે તે અંગે માહિતી આપતા vidhyanagr Town club ના president મીનેશ અમીને જણાવ્યું હતું કે સરકાર દ્વારા નાગરિકો માટે શરૂ કરેલ'મહારસીકરણ અભિયાન'માં નાગરિકો માટે સુવિધા સાથેનું કેન્દ્ર VTC દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ પ્રકારના 4 જેટલા રસીકરણના કેમ્પનું સફળ આયોજન અગાઉ કરવામાં આવી ચૂક્યું છે. જેમાં 2000 જેટલા નાગરિકોને રસી મૂકાવવામાં આ કેન્દ્ર (vaccination center) દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી છે. 21 જૂનથી શરૂ થયેલા કાર્યક્રમમાં VTC દ્વારા 350થી વધુ નાગરિકોને રસી મૂકવામાં આવી છે. અમીને જણાવ્યું હતું કે VTC ના સભ્યો દ્વારા સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવે છે. જેમાં 20થી 25 જેટલા સ્વયંસેવકો હાજર રહે છે અને નાગરિકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર દ્વારા આપવમાં આવતી રસીનો વિદ્યાનગરના 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકો રસી મૂકાવે તે હેતુથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

રસી લેવા આવનારને સ્પેશિયલ હોવાનો અહેસાસ કરાવે છે વિવિધ સુવિધાઓ

ઉલ્લેખનીય છે કે જે પ્રમાણેની સુવિધાઓ સાથે આ કેન્દ્ર શરૂ (vaccination center) કરવામાં આવ્યું છે. ત્યારે અહીં આવતા લાભાર્થી પણ આ તમામ સુવિધા બાબતે સંતોષ વ્યક્ત કરતાં નજરે પડ્યાં હતાં.vtc ખાતે રસી મૂકાવવા આવેલ લાભાર્થી ડો. જયતી શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર પર સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી 5 થી 10 મિનિટમાં નાગરિકોને રસી મળી રહે છે અને કોવિડના નિયમોને ધ્યાને રાખી તમામ આયોજન કરવામાં આવ્યો છે. જેથી સામાજિક અંતર જળવાઈ રહે અને ભીડ ન થાય તેનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ Online Consultation: છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને ઈ-સંજીવની એપથી ઓનલાઈન મેડિકલ પરામર્શ ઉપલ્ધ કરાવાશે

Last Updated : Jun 24, 2021, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details