ગુજરાત

gujarat

નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ

By

Published : Jul 14, 2020, 7:47 PM IST

અમરેલીમાં રૂપિયા 19 કરોડના ખર્ચે નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું હતું. પંચાયતના રાજ્યપ્રધાન જયદ્રથસિંહજી પરમાર, અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ અને વિકાસ કમિશ્નરની પ્રેરક ઉપસ્થિતિમાં આજે અમરેલી જિલ્લા પંચાયતનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું હતું.

નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ
નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ

અમરેલી: જિલ્લા પંચાયત અમરેલીનું જૂનું મકાન વર્ષ 1960 માં જિલ્લા લોકલ બોર્ડના સમયનું હોવાથી ફરી બનાવવું અત્યંત જરૂરી હતું. જેથી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી રૂપિયા 1897.00 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત ભવનના નિર્માણનું કામ 30 એપ્રિલ 2019ના રોજ પૂર્ણ કરવામાં આવ્યુ હતું. નવા મકાન બનાવવા માટે રૂપિયા 1902.00 લાખનો ખર્ચ થયો હતો.

નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ
આ પ્રસંગે સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય વીરજી ઠુંમર, પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય જે. વી. કાકડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રવજી વાઘેલા, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ
આ તકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હતું કે, આજે પંચાયતના નવા મકાનનું નવું વાતાવરણ અધિકારીઓ અને કર્મચારીઓમાં નવી ઉર્જા બની વધુમાં વધુ લોકસેવાના કાર્યો કરવા પ્રેરણા આપશે. મુખ્યપ્રધાનએ નવા ભવનનો સદુપયોગ થાય અને પંચાયતમાં આવતા અરજદારો શાંતિ અને વિશ્વાસથી પોતાનું કાર્ય થશે એવી આશા લઈને સ્મિત સાથે જાય એવી શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત રાજ્ય હંમેશા આપત્તિને અવસરમાં પલટાવવા સક્ષમ છે. કોરોના મહામારી વચ્ચે પણ આપણી રોજીંદી પ્રવૃતિઓ ધમધમતી રાખવાની છે. રાજ્યમાં મોટાભાગના વિકાસના કામો પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યા છે.
નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details