અમદાવાદ : અમદાવાદ શહેર એ ભારતનું સૌથી પહેલું હેરિટેજ શહેર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે બીજું આજના દિવસને વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિત્તે આજથી 12 વર્ષ પહેલાં હેરિટેજ થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી 30 જેટલા ચિત્રોને સિલેક્ટ કરીને આજના આ એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યા છે. આજનું એક્ઝિબિશન અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
12 વર્ષ પહેલાંના ચિત્રો :મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, આજે વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિત્તે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના લોકો માટે હેરિટેજ વોક ફ્રી રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ બિલ્ડિંગમાં હેરિટેજ દિવસ નિમિતે ચિત્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં 12 વર્ષ પહેલા ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. તેના ઇનામ પ્રાપ્ત કરેલ ચિત્રો એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યા છે.
આ પણ વાંચો :Ahmedabad News: સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાયું હેરિટેજ વોક 2023નું આયોજન