ગુજરાત

gujarat

Amit Shah Gujarat Visit: આવતીકાલથી બે દિવસ માટે શાહ ગુજરાતમાં, દ્વારકામાં કરશે દર્શન

By

Published : May 19, 2023, 12:12 PM IST

આવતીકાલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં આવ્યા બાદ તેઓ જુદા જુદા પ્રોજેક્ટને ખુલ્લા મૂકશે. આ ઉપરાંત પક્ષના નેતાઓ તેમજ આગેવાનો સાથે ખાસ બેઠક પણ યોજશે. આ વખતે એમનો પ્રવાસ દેવભૂમિ દ્વારકાથી શરૂ થવાનો છે.

Amit Shah Gujarat Visit: આવતીકાલથી બે દિવસ માટે શાહ ગુજરાતમાં, દ્વારકામાં કરશે દર્શન
Amit Shah Gujarat Visit: આવતીકાલથી બે દિવસ માટે શાહ ગુજરાતમાં, દ્વારકામાં કરશે દર્શન

અમદાવાદઃઅમિત શાહ આવતીકાલથી 2 દિવસની ગુજરાત મુલાકાત લેશે. આ દરમિયાન જુદા જુદા પ્રોજેક્ટ્સ અને મોદી સમુદાય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેઓ દેવભૂમિ દ્વારકા, અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદમાં, તેઓ રવિવારે મોદી સમુદાયના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

દ્વારકામાં દર્શન કરશેઃજ્યારે દેવભૂમિ દ્વારકામાં, શાહ નેશનલ એકેડેમી ઑફ કોસ્ટલ પોલીસિંગ માટે બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત દ્વારકા આવીને તેઓ જગતમંદિર દર્શન કરવા માટે જશે. એ પછી પક્ષના નેતાઓ તથા આગેવાનો સાથે ટૂંકી મુલાકાત કરશે. ગાંધીનગરમાં, કેન્દ્રીય પ્રધાન શનિવાર અને રવિવારે ચાર કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં તે બોરીજ ગામની પ્રાથમિક શાળાના બાળકોને રમતગમતની સામગ્રીનું વિતરણ કરશે.

કોર્પોરેશનના પ્રોજેક્ટઃગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા બેઠકમાં આયોજિત ક્રિકેટ મેચમાં પણ હાજરી આપશે. મુલાકાત દરમિયાન રાજ્ય માર્ગ પરિવહન નિગમની 320 બસનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં એમલ્ફેડ ડેરીની આધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું પણ ઉદ્ઘાટન કરશે. નારણપુરા વોર્ડમાં વ્યાયામશાળા અને પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદના છારોડી ગામમાં પુનઃવિકાસિત તળાવનું ઉદ્ઘાટન કરશે. વિવિધ નાગરિક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

બેક ટુ બેક મુલાકાતઃઆ પહેલા નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. હવે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બન્ને નેતાઓએ મસમોટા પ્રોજેક્ટને ખુલ્લા મૂક્યા હતા. નારણપુરામાં AMC દ્વારા નિર્મિત જીમ્નેશિયમ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. જોકે, એક બાજું સરકારની ચિંતન શિબિર ચાલી રહી છે. એવામાં અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના સુત્રોમાંથી એવી પણ વિગત મળી છે કે, તેઓ પક્ષના કાર્યકર્તાઓની સાથે એક બેઠક યોજી શકે છે. આ પહેલા જ્યારે તેઓ અમદાવાદ આવ્યા હતા એ સમયે કોર્પોરેશનના જુદા જુદા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.

Hanuman Jayanti 2023: હનુમાન જયંતિ નિમિત્તે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે સાળંગપુરમાં

Junagadh News: પ્રથમ વખત કોંગ્રેસનું નામ લીધા વિના અમિત શાહે કર્યું ભાષણ

એવું તો શું થયું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને રોડ શો અધૂરો મૂકવો

ABOUT THE AUTHOR

...view details