ગુજરાત

gujarat

રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને આપ્યો આદેશ, યુદ્ધના ધોરણે પગલા લેવા જણાવ્યું

By

Published : Aug 24, 2022, 6:39 PM IST

Updated : Aug 25, 2022, 12:16 PM IST

રખડતા ઢોરના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલા એક કેસના સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો રખડતા ઢોર મામલે હજુ કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હાઇકોર્ટ સુરતમાં રખડતા ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિના થયેલા મૃત્યુની ગંભીર નોંધ લેતા જણાવ્યુ છે કે, રખડતા ઢોરના કારણે કોઇનો જીવ જવો જોઇએ નહી, અથવા તો કોઇને ઇજા પણ થવી જોઇએ નહી. Gujarat High Court, stray cattle, High Court ordered the state government, state government on issue of stray cattle

રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટનું આકરુ વલણ, યુદ્ધના ધોરણે તાત્કાલિક પગલાલો
રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટનું આકરુ વલણ, યુદ્ધના ધોરણે તાત્કાલિક પગલાલો

અમદાવાદરખડતા ઢોરના( stray cattle)મુદ્દાની સમસ્યા દિવસે વિકરતી જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલા એક કેસના સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને (Gujarat High Court)રખડતા ઢોર હજુ પણ કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને આવો આકરો સવાલ રાજ્ય સરકારને કર્યો હતો. તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પણ તાત્કાલિક રીતે કોર્ટમાં હાજર (PIL in Gujarat High Court) રહેવા માટે આદેશ કર્યો હતો. આ સમગ્ર મામલે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું, જે મામલાને લઈને આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

અધિકારીઓને તાત્કાલિક કોર્ટમાં હાજર રહેવા આદેશરખડતા ઢોરના મામલા અને વધતા જતા ત્રાસને લઈને હાઇકોર્ટે, સામે મહાનગરપાલિકાએ પોતાનો જવાબ રજૂ કરતા કહ્યું હતું કે, અમદાવાદમાં રખડતા ઢોરના આતંક મુદ્દે કોર્પોરેશનને દોષનો ટોપલો સરકાર પર ઢોળ્યો છે. એએમસીએ પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું છે કે ઢોરની અવરજવર ટ્રાન્સપોર્ટેશન પર રોક લગાવી હોવાના લીધે આ સ્થિતિ સર્જાય છે.

AMCએ પોતાની રજૂઆત કરીએટલું જ નહીં લમ્પી વાયરસના કારણે પણ રખડતા ઢોર પકડવાની (state government)કામગીરીમાં ઢીલ મુકાયાની પણ AMCએ પોતાની રજૂઆત કરી છે. સાથે સાથે રાજ્ય સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું છે તેને લઈને પણ તેમાં કોઈ હસ્તક્ષેપ ન કરવામાં કડક સૂચના આપવામાં આવતા પણ તેઓ કોઈ આ મામલે પગલાં લેતા નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

સરકાર પણ યુદ્ધના ધોરણે પગલાં લેઆ સાંભળતા જ કોર્ટે રાજ્યમાં શહેરોમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટે ખૂબ જ આકરૂ વલણ અપનાવ્યું છે અને રખડતા ઢોરના કારણે કોઈનો પણ જીવ જવો જોઈએ નહીં આ મામલાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર પણ યુદ્ધના ધોરણે પગલાં લે તેવી કોર્ટે ટકોર કરી છે. આ મામલાને ધ્યાનમાં રાખતા કોર્ટે સુરતમાં રખડતા ઢોરના કારણે એક વ્યક્તિના જે ગંભીર મૃત્યુ થયું તેનું પણ કોર્ટે નોંધ લીધી છે.

આ પણ વાંચોહાઇકોર્ટનો રાજ્ય સરકારને સવાલ રખડતા ઢોરનો કેમ ઉકેલ નથી આવ્યો

લોકોના મૃત્યુ થાય અથવા ઈજા પહોંચે તે ચલાવી લેવાય નહીરખડતા ઢોરની સમસ્યા ભલે ગમે તેટલી વિકટ હોય પરંતુ તેના લીધે કોઈનું મૃત્યુ થાય અથવા તો કોઈને ઈજા પહોંચે તે ચલાવી લેવાય નહીં.જે મામલાને કોર્ટે જણાવ્યું કે આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં સરકાર ઠોસ નિર્ણય લે નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે.

હાઇકોર્ટનું રાજ્ય સરકાર વિરુદ્ધ આકરું વલણમહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટે રખડતા પશુને લઈ રાજ્ય સરકાર વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું તેને લઈને હાઇકોર્ટ રાજ્ય સરકારને આજે તાત્કાલિક પગલા લેવાનો આદેશ આપ્યો હતો. જે બાદ આજની કેબિનેટ બેઠકમાં સરકારે નાગરિકોના હિતમાં કેટલાક નિર્ણયો કર્યા છે અને રખડતા ઢોર મુદ્દે તમામ મહાનગરપાલિકાને રખડતા ઢોર પશુપાલકો મહાપાલિકાને હવાલે કરે તેનો સરકાર ખર્ચ ભોગવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોAMC Stray Cattle : રખડતા ઢોરને પકડવામાં AMCનું તંત્ર નિષ્ફળ કે સફળ ?

રાજ્ય સરકારે રખડતા ઢોર મામલે પગલા લીધા અત્રે એ નોંધનીય છે કે, રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે એટલો વધે તો જોવા મળી રહ્યો છે કે દિન પ્રતિદિન લોકોના અકસ્માત અને મૃત્યુ પામ્યાની વિગતો સામે આવતી હોય છે. ત્યારે લોકોમાં પણ ખૂબ જ ભારે રોજ જોવા મળી રહ્યો હતો ત્યારે હવે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે જે પગલા લીધા છે તેનાથી મહદ અંશે કેવી પરિસ્થિતિ હવે રહેશે તે જોવું રહ્યું.

શા માટે ઢોરને પકડતા નથીરખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટમાં જે વધુ સુનાવણી હાથ ધરાવાની હતી તેમાં મહત્વનું છે કે , હાઇકોર્ટ એએમસીને સવાલ કર્યો છે કે શું રસ્તા પર રખડતા ઢોર નથી તમે શા માટે ઢોરને પકડતા નથી એવો પણ હાઇકોર્ટે એએમસીને પ્રશ્ન પૂછ્યો છે. સાથે જ લંપી વાયરસ મુદે AMCએ જે દલીલ કરી હતી તેના પર કોર્ટ ટકોર કરતા કહ્યું છે શું લમ્પી આવ્યા બાદ જ રસ્તા પર ઢોર આવ્યા છે.? એડવોકેટ એસો. તરફથી પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે અને કોર્ટ એડવોકેટ એસોસીએશન પણને સોગંદનામુ રજૂ કરવા કહ્યું છે આ તમામ મુદ્દે આજની સુનાવણી પૂર્ણ થઈ છે.

પેટ્રોલિંગ વધારવા અને જરૂરી પગલાં લેવા સૂચનામહત્વનું છે કે આ સમગ્ર મામલે હાઇકોર્ટે એએમસીને નિર્દેશ કર્યો છે કે બે અધિકારીઓની નિમણૂક કરો અને અધિકારીઓ રખડતા ઢોર અંગેના નિર્ણયો ઉપર નજર રાખે. સતત ત્રણ દિવસ 24 કલાક પેટ્રોલિંગ કરવા પણ સૂચના અપાય છે. સાથે સાથે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીને પણ રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે અને શિફ્ટ પ્રમાણે પેટ્રોલિંગ વધારવા અને જરૂરી પગલાં લેવા સૂચના પણ આપવામાં આવી છે.

Last Updated :Aug 25, 2022, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details