અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના સફાઈ અભિયાન ના ભાગરૂપે શનિવારના રોજ સવારે 7.30 કલાકે રિવરફ્રન્ટ અટલ ઘાટ, બ્લોક નં ૫, નહેરુ બ્રિજ તરફ કોંગ્રેસના તમામ કાઉન્સિલર જોડાયા હતા. જેમાં દિનેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સાબરમતી સફાઈ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી હજારો લોકો આ શુદ્ધિકરણમાં જોડાયા છે.
સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં જોડાયા કોંગ્રેસના કાઉન્સિલર