ગુજરાત

gujarat

શતાબ્દી મહોત્સવઃ 3 મહિના પહેલાનું NRIનું ટિકિટ બુકિંગ, ખાસ સુવિધા અપાઈ

By

Published : Dec 19, 2022, 2:22 PM IST

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે વિદેશથી અનેક ભાવિ ભક્તો (NRI in Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) આવ્યા છે. જે લોકોએ અહીં આવવા માટે ત્રણ મહિના પહેલાથી જ રેગ્યુલર ટિકિટના ભાવથી પણ 50 ટકા વધારે ભાવ આપીને ટિકિટ બુક ( NRI Tourist in PSM 2022 )કરાવી છે. તેઓ અહીં (Darshan Yatra Round Gujarat )ફરીને લોકો આનંદની લાગણી પણ અનુભવી રહ્યા છે. તેમનૈ માટે દર્શન યાત્રા રાઉન્ડ ગુજરાતની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આવવા એનઆરઆઈનું પ્લાનિંગ, દર્શન યાત્રા રાઉન્ડ ગુજરાતની સુવિધા અપાઇ

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આવવા એનઆરઆઈનું પ્લાનિંગ, દર્શન યાત્રા રાઉન્ડ ગુજરાતની સુવિધા અપાઇ
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આવવા એનઆરઆઈનું પ્લાનિંગ, દર્શન યાત્રા રાઉન્ડ ગુજરાતની સુવિધા અપાઇ

ડબલ ટિકિટના ભાવમાં આવ્યાં પણ ફરીને આનંદ અનુભવતાં એનઆરઆઈ ભાવિ ભક્તો

અમદાવાદપ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જ્યાં ગુજરાત કે દેશના નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાંથી ભાવિભક્તો (NRI in Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) આવી રહ્યા છે. ભાવિ ભક્તોએ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવમાં આવવા માટે ત્રણ મહિના પહેલાથી ટિકિટ બુક કરાવી હતી. જોકે અનેક ભાવિ ભક્તો( NRI Tourist in PSM 2022 ) હજુ પણ આવી શક્યા નથી. બીજી બાજુ બીએપીએસ (BAPS ) સંસ્થા દ્વારા વિદેશથી આવતા ભક્તો માટે ગુજરાતના અન્ય ધાર્મિક સ્થળો પર પ્રવાસ કરી શકે તે માટે પણ ખાસ દર્શન યાત્રા રાઉન્ડ ગુજરાત (Darshan Yatra Round Gujarat )ની પણ શરૂઆત કરી છે.

આ પણ વાંચો કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્ર લખેલો 6 ફૂટ લાંબો પત્ર ભગવાનને ધરાવાયો

વિદેશથી આવતા લોકો માટે તમામ પ્રકારની સગવડ ઉપલબ્ધપ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિદેશથી આવતાં ભક્તોને હાલાકી ન પડે તે માટેની સગવડ બીએપીએસ દ્વારા ઊભી કરવામાં આવી છે. જે લોકો વિદેશથી આવી રહ્યા છે તે ત્યાંથી જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી અહીં આવે છે. અહીંયા અલગ અલગ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે જ્યાંથી વિદેશથી આવતાં ભક્તોને ( NRI Tourist in PSM 2022 )રજીસ્ટ્રેશન કરાવ્યાં મુજબ પાસ આપવામાં આવે છે. સાથે સાથે તે નગરે ફરવા જાય ત્યારે એક ગાઈડ પણ આપવામાં આવે છે જે તેમને માહિતગાર કરે છે.

આ પણ વાંચો પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં મહંત સ્વામીનો સત્સંગ પ્રવચન અને આશીર્વચન

દર્શન યાત્રા રાઉન્ડ ગુજરાત ગુજરાત દર્શન યાત્રા રાઉન્ડ ગુજરાતના તીર્થસ્થાનો જેમાં ખાસ કરીને પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે દેશની અંદર ઘણા બધા પરિવારો (NRI in Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) અહીંયા આવી રહ્યા છે. જેના સંદર્ભમાં આ સિવાય પણ ગુજરાતના અનેક ધર્મસ્થળો છે જે પ્રવાસન માટે જઈ શકાય તેમ છે. જેને લઈને દર્શન યાત્રા રાઉન્ડ ગુજરાત (Darshan Yatra Round Gujarat )અહીંયા શરૂ કરવામાં આવ્યો છે. એમાં બસની સગવડ કરી આપવામાં આવે છે જેમાં પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદ, ગાંધીનગર. સારંગપુર. ગઢડા જેવા અનેક ધાર્મિક સ્થળો છે ત્યાં જઈ શકેને ત્યાં તેમના માટે રહેવાની ખાવાની પણ સગવડ કરી આપવામાં આવે છે.

ત્રણ મહિના પહેલા ટિકિટ બુક કરાવી હતી મુકેશ પટેલ (NRI in Pramukh Swami Maharaj Shatabdi Mahotsav)જે પોતે આફ્રિકાથી અહીંયા આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવવા માટે ત્રણ મહિના પહેલા ટિકિટ બુક કરાવી હતી. રેગ્યુલર રીતે ટિકિટના ભાવ સસ્તા હોય છે. પરંતુ આ શતાબ્દી મહોત્સવ હોવાને કારણે ટિકિટના ભાવમાં 40 થી 50 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. અરે બીજા મારા મિત્રો પણ ટિકિટ બુક કરાવી હતી પરંતુ તેમને વેઇટિંગ ચાલી રહ્યું છે. ગઈકાલે તેમનું કન્ફર્મેશન થઈ ગયું છે અને હવે આવતા અઠવાડિયે તે પણ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દીની અંદર આવી રહ્યા છે.

વિશ્વાસ ન હતો કે આ નગર આટલું અદભુત થશેતાન્ઝાનિયાથી આવેલ વીર પટેલે (NRI in Pramukh Swami Maharaj Shatabdi Mahotsav)જણાવ્યું હતું કે છ મહિના પહેલા આવ્યો હતો પરંતુ અહીંયા વિશ્વાસે ન થાય કે આ નગર પૂરું થશે. ત્યારે ( NRI Tourist in PSM 2022 )પણ મેં સ્વામીને કીધું હતું કે આ પોસિબલ નથી કે 6 મહિનાની અંદર નગર તૈયાર કરી શકાય. હું અહીંયા આવ્યો ત્યારે મારો વિચાર હતો કે હું આ નગર પાંચ દસ મિનિટમાં ફરીને નીકળી જઈશ. પરંતુ અહીંયા આવ્યા બાદ જે મેં નગરની રચના જોઈ અને જેમાં અલગ અલગ બાલ નગરી સહિતના જે એક્ઝિબિશન તૈયાર કરવામાં આવ્યા છે તે ખૂબ જ અદભુત હતાં. જેથી મેં તમામ એક્ઝિબિશન જોયા અને જે મેં દસ મિનિટમાં જોઈને બહાર નીકળવાનો વિચાર કર્યો હતો તે મેં ત્રણ કલાક સુધી આ નગરમાં ફર્યો છું.

પાણી અને વીજળી જરૂર મુજબ ઉપયોગ કરવોકેન્યાથી આવેલ તન્વી પટેલે (NRI in Pramukh Swami Maharaj Shatabdi Mahotsav)જણાવ્યું હતું કે મેં આ નગરમાં આવીને ખાસ મારા માટે આકર્ષણ કેન્દ્ર "મેરા ભારત હમારા ભારત" રહ્યું. જેમાં પાણી અને વીજળીનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો જોઈએ. જો જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરીશું તો આવનારી પેઢી માટે પણ તે ઉપયોગી સાબિત થશે. ગ્લો ગાર્ડનમાં માત્ર આકર્ષક નથી તેમાં જીવનલક્ષી સંદેશા પણ આપવામાં આવ્યા છે કે એકતા જ એ સૌથી મોટી તાકાત છે જો આપણે એક સાથે રહીશું તો આપણને કોઈ હરાવી શકશે નહીં.

ABOUT THE AUTHOR

...view details