ગુજરાત

gujarat

અમદાવાદથી તૌકતેનો ગ્રાઉન્ડ રિપોર્ટ: બે દિવસમાં 28 વૃક્ષો ધરાશાયી

By

Published : May 18, 2021, 3:42 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ 2 દિવસમાં 28 વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે, જ્યારે મળતી માહિતી મુજબ આ સંખ્યા 39 જેટલી હોઈ શકે છે, હાલ ફાયર વિભાગ વૃક્ષ દૂર કરવાની કામગીરી કરી રહ્યું છે.

tree falling in Ahmedabad
tree falling in Ahmedabad

  • અમદાવાદ શહેરમાં 28 વૃક્ષ ધરાશાયી
  • રસ્તા પર નાના ભુવા અથવા બ્રેકડાઉન થવાની શરૂવાત થઈ
  • ફાયર વિભાગ દ્વારા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ

અમદાવાદ : શહેરમાં સામાન્ય વરસાદમાં પણ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે, ત્યારે 1998 બાદ ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના આંકડા મુજબ 2 દિવસમાં 28 વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે, જ્યારે મળતી માહિતી મુજબ આ સંખ્યા 39 જેટલી હોઈ શકે છે. હાલ ફાયર વિભાગ વૃક્ષ હટાવવાની કામ કામગીરી કરી રહ્યું છે.

અમદાવાદથી તૌકતેનો ગ્રાઉન્ડ રિપોર્ટ

આ પણ વાંચો -તૌકતે વાવાઝોડાને લઇને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ શરુ

ક્યાં કેટલા વૃક્ષો ધરાશાયી

અમદાવાદના વિવિધ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાંથી મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 9 - 9 વૃક્ષો ધરાશાયી શયા છે. જ્યારે દક્ષિણ વિસ્તારમાં 6 વૃક્ષ , ઉત્તર પશ્ચિમમાં 3 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક વૃક્ષ ધરાશાયી થયું છે. જો કે, ઉત્તર ઝોનમાં વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી નથી. હાલ ફાયર વિભાગ દ્વારા આ વૃક્ષો રસ્તા પરથી દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો -વાવાઝોડાંની તૈયારીને લઇને અમદાવાદ ફાયર વિભાગ સજ્જ

ABOUT THE AUTHOR

...view details