ગુજરાત

gujarat

ચોમાસામાં લોકોને મુશ્કેલીના નિવારણ માટે AMC દ્વારા 7 ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા

By

Published : Jun 14, 2022, 5:19 PM IST

ચોમાસામાં લોકોને મુશ્કેલીના નિવારણ માટે AMC દ્વારા 7 ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા
ચોમાસામાં લોકોને મુશ્કેલીના નિવારણ માટે AMC દ્વારા 7 ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા

ગુજરાતમાં ચોમાસાની (Rain in Gujarat)શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં ભારે પવન અને વરસાદને કારણે રસ્તામાં ભુવા અને વૃક્ષો પડવાની સમસ્યા જોવા મળતી હોય છે. લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશન દ્વારા (Ahmedabad Corporation)શહેરના 7 ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

અમદાવાદઃચોમાસાની ઋતુમાં ભારે પવન કે વરસાદને કારણે (Rain in Gujarat)અનેક રસ્તામાં ભુવા પડવાની શક્યતા જોવા મળી આવતી હોય છે. જ્યારે બીજી બાજુ ભારે વરસાદને કારણે અંડરબ્રિજમાં પાણી ભરવાના કિસ્સા સામે આવે છે. જેની તકેદારીના ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation)દ્વારા શહેરના 7 ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેનોમુખ્ય કંટ્રોલ રૂમ પાલડી ખાતે શરૂ કરવામાં આવ્યો છે.

AMC

આ પણ વાંચોઃAMC Road Scam : અધિકારીઓને સામાન્ય સજા આપતા કમિશનર ઓફિસે કોંગ્રેસનો અનોખો વિરોધ

તમામ ઝોનમાં CCTVથી સજ્જ -રાજ્યમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ચોમાસામાં મોટા પ્રમાણમાં વૃક્ષો ધારાશાયી, મકાન પડવાની ઘટના તાત્કાલિક જેતે સ્થળે(7 Zone Main Central Controlroom)પહોંચી શકાય. તેનો ઉકેલ જલ્દીથી આવે તે માટે શહેરના તમામ ઝોનમાં CCTVથી સજ્જ કંટ્રોલ શરૂઆત કરવામાં આવી છે.

CCTV ચાલુ કરી કામગીરી હાથે ધરી -આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર આરતી બહેન જાની ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરની જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં લઈને મુખ્ય કંટ્રોલ રૂમ પાલડીમાં શરૂ કરવામાં આવ્યો છે. સતત કોર્પોરેશનના અધિકારી દ્વારા CCTV પર વોચ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃશું AMCને ફક્ત મલાઈ ખાવામાં જ રસ છે પ્રજાની સેવામાં નહીં, વિપક્ષના નેતાએ કર્યા ગંભીર આક્ષેપ

ચોમાસામાં 24 કલાક દરેક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે -વધુમાં ઉમેર્યું હતું કે ચોમાસાના ચાર માસના સમયગાળા દરમિયાન 24 કલાક દરેક ઝોનના કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવશે. જ્યારે મકાન પડવાની, ભુવા પડવાની, પાણી ભરાવવાની ફરિયાદ આવશે તો તેને તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details