ગુજરાત

gujarat

Beware of usurers: વ્યાજખોરના ચક્કરમાંથી બચવા શું કરવું જોઈએ?

By

Published : Jan 12, 2023, 9:32 PM IST

ગુજરાત સરકારે વ્યાજખોરો સામે લાલઆંખ કરી છે અને પોલીસ રાજ્યના દરેક શહેરમાં લોકદરબાર કરી રહી છે, ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે. ખરેખર જોવા જઈએ તો વ્યાજખોરના ચક્કરમાંથી બચવા શું કરવું જોઈએ? આર્થિક બાબતોના નિષ્ણાત પ્રોફેસર હેમન્તકુમાર શાહે ETV Bharat ને જણાવ્યું હતું કે નાના કે મોટા સૌ લોકો માટે ધિરાણની વ્યવસ્થા સરળતાથી ઉપલબ્ધ થાય તેમજ સહકારી મંડળીઓ અને બેંકો દ્વારા માત્ર આર્થિક બાબતો માટે નહી પણ સામાજિક પ્રસંગો માટે લોન આપવામાં આવે.

Beware of usurers
Beware of usurers

અમદાવાદ:વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે અને તેને કારણે ગુજરાતમાં આત્મહત્યા કરવાના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષના ડેટા જોઈએ તો વ્યાજના ત્રાસથી આત્મહત્યા કરવાના કિસ્સામાં 90 ટકાનો વધારો થયો છે. આ ડેટા જોઈને ગુજરાત સરકાર સફાળી જાગી છે.

વ્યાજખોરનો મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે:ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તાજેતરમાં જ પોલીસને એક્શન લેવા કહ્યું છે. દરેક શહેર પોલીસના સીનીયર અધિકારીઓ દ્વારા લોકદરબાર યોજીને આવા વ્યાજખોરોને શોધી કાઢવા માટેની મુહિમ શરૂ કરી છે. અનેક નવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. અનેક પોલીસ ફરિયાદ પણ થઈ છે અને પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની ઘરપકડ થઈ રહી છે. હાલ આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે.

ઊંચું વ્યાજ વસુલવું તે ગુનો છે:પોલીસને મળેલી કેટલીક ફરિયાદો સાચી હશે અને કેટલીક ખોટી પણ હશે. તમે રૂપિયા વ્યાજે લીધા તો પાછા તો આપવા જ પડે ને. પણ ઊંચું વ્યાજ વસુલવું તે ગુનો છે. જોકે ઊંચા વ્યાજે પૈસા લેવા પડે સ્થિતિનું સર્જન ન કરવું જોઈએ. અને સરકારે બેંકમાંથી સરળતાથી લોન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.

વ્યાજખોરોના ચક્કરમાંથી બચવા શું કરવું જોઈએ?:(1) સમાજમાં મોભો દર્શાવવા માટે ઊંચા વ્યાજે રૂપિયા લઈને ખોટા ખર્ચને ટાળવા જોઈએ (2) સમાજને દેખાડવા માટે લગ્ન પ્રસંગોમાં ધૂમ ખર્ચ ન કરવો જોઈએ (3) ઊંચા વ્યાજે રૂપિયા લેવાની સ્થિતિ ન આવે તેવી રીતે જ તમારી આવકનું પ્લાનિંગ કરો (4) તમારી જરૂરિયાત હોય તો બેંકોમાંથી લોન મળે છે. બેંકોમાંથી કાર લોન, વ્હીકલ લોન, ફ્રીજની ખરીદી પર લોન, મોબાઈલ કે લેપટોપ કે કોમ્પ્યુટરની ખરીદી માટે લોન, ગોલ્ડ પર લોન, તમામ વસ્તુની ખરીદી માટે બેંક વ્યાજે લોન મળે છે. તેનો જ ઉપયોગ કરીએ તો ઊંચું વ્યાજ નહી વસુલવું પડે (5) ઊંચા વ્યાજ વસુલનાર માથાભારે તત્વો હોય છે, તેમની પાસેથી રૂપિયા લેવા ન જોઈએ (6) ઊંચા વ્યાજે રૂપિયાની લોન લઈને ધંધો કે વેપાર ન કરવો (7) વ્યાજનો ધંધો કરનારે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. રજિસ્ટ્રેશન વગરના લોકો ધીરધારનો ધંધો કરે અને વ્યાજ ખાય તો તે ગેરકાયદે છે. (8) ધારો કે તમે ઊંચા વ્યાજે રૂપિયા લઈને ફસાઈ ગયા અને તમને વ્યાજખોર ત્રાસ આપે કે ધમકી આપે તો તમે પોલીસ ફરિયાદ કરી શકો છો. (9) આત્મહત્યાએ અંતિમ રસ્તો નથી.

આ પણ વાંચોNavsari Police Actions Against Usurer : વિજલપોર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન આવ્યાં સકંજામાં

સામાજિક પ્રસંગો માટે લોન ઉપલબ્ધ હોવી જોઈએ:આર્થિક બાબતોના નિષ્ણાત પ્રોફેસર હેમન્તકુમાર શાહે ETV Bharat ને જણાવ્યું હતું કે નાના કે મોટા સૌ લોકો માટે ધિરાણની વ્યવસ્થા સરળતાથી ઉપલબ્ધ થાય તેમજ સહકારી મંડળીઓ અને બેંકો દ્વારા માત્ર આર્થિક બાબતો માટે નહી પણ સામાજિક પ્રસંગો માટે લોન આપવામાં આવે. તેમજ નાન સ્વસહાય જુથોને સામાજિક કાર્યો માટે લોન આપવાની વ્યવસ્થા કરે તો જનતા વ્યાજખોરોના ત્રાસથી બચી શકે છે.

આ પણ વાંચોVadodara Police Campaign Against Usurers : વ્યાજખોરે મૂડીના બદલે પત્નીને સોંપી દેવાની માગ કરી

સરળતાથી લોન પ્રાપ્ત થવી અનિવાર્ય છે:હેમન્તકુમારે વધુમાં કહ્યું હતું કે આ વ્યાજખોરીએ અસંગઠિત નાણા બજાર છે. જેઓ પોતાની વિવેકબુદ્ધિ વાપર્યા વગર ખૂબ જ ઊંચા વ્યાજે નાણાં લે છે, તેઓ મુર્ખામીભર્યું કામ કરે છે, તેનો કોઈ ઉપાય નથી. પરંતુ જેમને નાના આર્થિક સામાજિક કામો માટે લોન જોઈએ છે તેમને સંસ્થાકીય ધિરાણ સરળતાથી પ્રાપ્ત થાય તે અનિવાર્ય છે.

ABOUT THE AUTHOR

...view details