ગુજરાત

gujarat

Gujarat High Court: ભેદભાવના આક્ષેપના મુદ્દે 143 ખેડૂતોની હાઇકોર્ટમાં અરજી

By

Published : Jun 15, 2023, 11:33 AM IST

બનાસકાંઠા જિલ્લામાં 2015માં થયેલા ભારે વરસાદના પગલે ખેડૂતોની જમીનનું ધોવાણ થયું હતું. તે નુકસાનની ભરપાઈ કરવામાં ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો હતો. તે અંગે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. સમાનતાના હકનું ઉલ્લંઘન થયું હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Gujarat High Court: જમીન નુકસાનની ભરપાઈમાં ભેદભાવનો આક્ષેપ, 143 ખેડૂતોની હાઇકોર્ટમાં અરજી
Gujarat High Court: જમીન નુકસાનની ભરપાઈમાં ભેદભાવનો આક્ષેપ, 143 ખેડૂતોની હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ: વર્ષ 2015 ના બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદના પગલે ખેડૂતોની જમીનને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ નુકસાનની ભરપાઈ માટે સરકાર દ્વારા ખેડૂતોને પૈસાની ચુકવણી કરવામાં આવી હતી. જોકે આ પૈસાની ચુકવણીમાં સરપંચે ભેદભાવ કર્યા હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

શું છે સમગ્ર કેસ: સમગ્ર કેસની વિગતો જોઈએ તો વર્ષ 2015 ના ચોમાસા દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ થયો હતો. જેમાં ભારે વરસાદના પગલે જમીનનું ધોવાણ થઈ ગયું હતું. આ વરસાદ બાદ સરકારની ઓથોરિટી દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે પણ ખેડૂતોને નુકસાન થયું હતું તેમને વળતર ચૂકવવામાં આવ્યું હતું. આ વળતર ચુકવવાની રકમમાં ખેડૂત સાથે ભેદભાવ થયો હોવાથી વાત સામે આવી હતી.

ચુકવણીમાં ભેદભાવ:ભારે વરસાદના પગલે ઈધાતા ગામમાં ખેડૂત દુલાભાઈ કાશીરામને પણ ભારે નુકસાન થયું હતું. ખેડૂત દુલાભાઇએ વળતરની ચુકવણીમાં ભેદભાવ થયા હોવાની અરજી દાખલ કરી છે. ઈધાતા ગામમાં ગુજરાત સ્ટેટ લેન્ડ ડેવલપમેન્ટ નિગમ લિમિટેડ (GSLDC) દ્વારા ખેડૂતોને સર્વે કરીને વળતરની ચુકવણી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ જમીન સર્વેમાં નિગમના ઓફિસરો દ્વારા આકારણી કરવાની જગ્યાએ સરપંચો દ્વારા જ નુકસાનનો અંદાજ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સરપંચ દ્વારા જ વળતર આપવામાં આવ્યું હતું.

સરપંચે નજીકના માણસોને વધારે વળતર આપ્યું હતું. જ્યારે અન્ય ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં સાવ ઓછું વળતર મળ્યું છે.--- દુલાભાઈ કાશીરામ (અરજદાર ખેડૂત)

સમાનતાના હકનું ઉલંઘન:અરજદારના એડવોકેટ એચ.એલ.પટેલે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં સીધું જ ભારતના બંધારણ અંતર્ગત સમાનતાના હકનું ઉલંઘન છે. આ સાથે જ એચ.એલ.પટેલે અમરેલી જિલ્લાના એક કેસનું ઉદાહરણ કોર્ટ સમક્ષ રાખ્યું હતું.

10 જુલાઈએ સુનાવણી:આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે પ્રશ્ન કર્યા હતા. ગુજરાત સ્ટેટ લેન્ડ ડેવલપમેન્ટ નિગમ લિમિટેડ દ્વારા 538 ખેડૂતોને 91 રૂપિયા ચૂકવાઇ જવાની રજૂઆત કઈ રીતે થઈ હતી? અને આ સર્વે કેવી રીતે હાથ ધરાયો? તેમજ પ્રોસિજર શું હતી? તે સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવે. મહત્વનું છે કે આ જ મુદ્દે વર્ષ 2016 માં જ ઇધાતા ગામના ખેડૂતો દ્વારા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. જેમાં કુલ 142 જેટલા પિટિશનર હતા.આ કેસમાં ઇધાતા ગામના સરપંચ ,તલાટી ,કલેક્ટર વગેરે પક્ષકારો છે. આ સમગ્ર મામલે બધું સુનાવણી આગામી 10 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

  1. બનાસકાંઠા જિલ્લામાં ખેત તલાવડીથી ડીસા તાલુકો પાણીદાર બનશે
  2. Banaskantha News : હાઇકોર્ટનો આદેશ છતાં ગાર્ડન ખુલ્લુ મુકવામાં ન આવ્યું, અરજદારે પાલિકાને ફટકારી નોટિસ

ABOUT THE AUTHOR

...view details