સમગ્ર ઘટનામાં વધુમાં કહીએ તો, વસ્ત્રાલ ખૂબ જ વિકાસ થઈ રહેલ વિસ્તારમાં સ્થાન ધરાવે છે. જેમાં લોકો પીવા માટે બોરના પાણીનો ઉપયોગ કરે છે. જે ભૂગર્ભમાં ગટરના પાણી ભરવાના લીધે દુષિત થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત લોકોના સ્વાસ્થય પર પણ ગંભીર અસર થઇ શકે છે.
લોકોના સ્વાસ્થય સાથે ચેડા, વસ્ત્રાલમાં ભૂગર્ભજળ થઈ રહ્યું છે દૂષિત
અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શુકુન હાઈટ્સમાં 2 વર્ષ પહેલાં ગટર લાઈનમાં ભંગાણ પડેલ હતું. જેનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. જેના પરિણામે ગટરનું દુર્ગંધયુક્ત પાણી ખાલી પડેલા ખેતરમાં વહી રહ્યું છે. ગટરના પાણીથી ખેતરો લગભગ 2 ફૂટ જેટલા ભરાઈ ગયા છે. પાણી જમીનમાં ઉતરવાને કારણે ભૂગર્ભ જળ દૂષિત થવાની સંભાવના ઉભી થઈ છે.
લોકોના સ્વાસ્થય સાથે ચેડા, વસ્ત્રાલમાં ભૂગર્ભજળ થઇ રહ્યું છે દુષિત
સ્થાનિકોએ આ વાતની જાણ તંત્ર તેમજ તમામ સત્તાધિકારી સમક્ષ કરી હોવા છતાં આશ્વાસન સિવાય કશું મળ્યું નથી. આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેની જાણ મેળવવા માટે જાગૃત નાગરિક દ્વારા RTI કરી હોવા છતાં તંત્ર દ્વારા તેનો પણ કોઈ જવાબ આવ્યો નથી.