ગુજરાત

gujarat

CMએ કાંકરિયા કાર્નિવલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું આ સુશાસનનું આગવું ઉદાહરણ

By

Published : Dec 26, 2022, 9:31 AM IST

અમદાવાદમાં રવિવારે સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો (Kankaria Carnival 2022 in Ahmedabad) શુભારંભ કરાવ્યો હતો. આખરે 2 વર્ષ પછી યોજાનારા આ કાર્નિવલને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રસંગે મુખ્યપ્રધાને (CM Bhupendra Patel inaugurated Kankaria Carnival) અમદાવાદ સાથે સ્વતંત્રતા સંગ્રામના જોડાયેલા અનેક સંસ્મરણોને યાદ કર્યા હતા.

CMએ કાંકરિયા કાર્નિવલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું આ સુશાસનનું આગવું ઉદાહરણ
CMએ કાંકરિયા કાર્નિવલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું આ સુશાસનનું આગવું ઉદાહરણ

આઝાદીના અમૃત મહોત્સવની થીમ

અમદાવાદશહેરીજનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા કાંકરિયા કાર્નિવલનો (Kankaria Carnival 2022 in Ahmedabad) શુભારંભ થઈ ગયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રવિવારે આ કાર્નિવલનું ઉદ્ઘાટન (CM Bhupendra Patel inaugurated Kankaria Carnival) કર્યું હતું. સાથે જ તેમણે અહીંથી જ પાવાગઢના પરિસરમાં પંચમહોત્સવનો (Panchmahotsav 2022) વર્ચ્યૂઅલી શુભારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, કાંકરીયાના રંગરૂપ બદલીને અને અમદાવાદમાં સિટીઝન સેન્ટ્રિક સેવાઓ વિકસાવીને સુશાસનનું આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવની થીમ આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરીયાનું રંગરૂપ બદલીને અને અમદાવાદમાં સિટીઝન સેન્ટ્રિક સેવાઓ વિકસાવીને સુશાસનનું આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાનના દ્રષ્ટિવંતા આયોજનોને પરિણામે આજે આ કાંકરિયા લેકફ્રન્ટ લોકપ્રિય રિક્રિએશન સ્પોટ બની ગયું છે. ભારતના અમૃતકાળમાં યોજાઈ રહેલા આ પહેલા કાંકરિયા કાર્નિવલની થીમ પણ આઝાદીના અમૃત મહોત્સવની (azadi ka amrit mahotsav theme) છે.

અમદાવાદ પાસે અનેક સંસ્મરણો તેમણે ઉમેર્યું (CM Bhupendra Patel inaugurated Kankaria Carnival) હતું કે, સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલાં ઘણાં સંસ્મરણો અમદાવાદ પાસે છે. મહાત્મા ગાંધીજીએ અહીં આશ્રમો સ્થાપ્યાં, દાંડીકૂચનો આરંભ અમદાવાદથી કર્યો, બાપુએ અનેક મહત્વની પ્રવૃત્તિઓ અમદાવાદથી જ સંચાલિત કરી છે. ઈતિહાસનું અપૂર્વ ગૌરવ અમદાવાદ પાસે છે. અને આધુનિકતામાં પણ અમદાવાદ પાછળ નથી.

ગાંધી બ્રિજથી અટલ બ્રિજની થીમવધુમાં તેમણે (CM Bhupendra Patel inaugurated Kankaria Carnival) જણાવ્યું હતું કે, સુશાસનના પ્રતીક સમો સુંદર અટલ બ્રિજ અમદાવાદની (Atal Bridge Ahmedabad) રોનક વધારી રહ્યો છે. ‘ગાંધી બ્રિજથી અટલ બ્રિજ’ની થીમ કાંકરિયા કાર્નિવલના શુભારંભ (Kankaria Carnival 2022 in Ahmedabad)પ્રસંગને ખૂબ અનુરૂપ છે. એટલું જ નહીં આ થીમ અંતર્ગત થનારા કાર્યક્રમો અમદાવાદના ગૌરવવંતા ઈતિહાસને ઉજાગર કરશે. 2 વર્ષ બાદ આ મહોત્સવનું આયોજન થઇ રહ્યું છે. એટલે લોકોમાં ઉત્સાહ બમણો છે.

મુખ્યપ્રધાને જણાવ્યું (CM Bhupendra Patel inaugurated Kankaria Carnival) હતું કે, આ વખતે પણ કાર્નિવલમાં (Kankaria Carnival 2022 in Ahmedabad) સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરો, નૃત્યનાટિકાઓ, લેઝર બીમ શૉ, યોગા એરોબિક્સ, લાઈવ કેરેક્ટર્સ, ફૂડ ફેસ્ટિવલ, ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો તથા ડોગ શો ઉપરાંત નાનાં બાળકો માટે સાહસિક પ્રવૃત્તિઓ જેવાં સુંદર આયોજનો કરવામાં આવ્યાં છે. સાથે સાથે કાંકરિયાની કિડ્ઝ સિટી, ટોયટ્રેન, ઝૂ, એક્વેરિયમ વગેરેની મજા નગરજનો માણી શકશે. અને કાર્નિવલના સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પાવાગઢમાં પંચમહોત્સવ પ્રારંભઅમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ (CM Bhupendra Patel inaugurated Kankaria Carnival) અને પાવાગઢના પરિસરમાં પ્રારંભ થયેલા પંચમહોત્સવ (Panchmahotsav 2022) પણ પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે ,ગુજરાતે આધુનિકતાને કેવું આત્મસાત કર્યું છે. એનો નજારો કાંકરિયા કાર્નિવલમાં જોવા મળે છે. ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને પરંપરાગત લોકમેળાનો વૈભવ પાવાગઢ પંચમહોત્સવમાં જોવા મળે છે. પરંપરાની જાળવણી સાથે આધુનિકતાને અપનાવવાની નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વિકસાવેલી પ્રણાલી આ બન્ને મહોત્સવોમાં સાકાર થઈ છે.

બંને લોકોત્સવનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, પાવાગઢના પંચમહોત્સવમાં (Panchmahotsav 2022) પણ લોકોને મનોરંજન સાથે આપણા ઈતિહાસ અને સંસ્કૃતિનું ગૌરવ અપાવે એવાં આયોજનો કરવામાં આવ્યાં છે. કાંકરિયા કાર્નિવલ અને પાવાગઢના (CM Bhupendra Patel inaugurated Kankaria Carnival) પંચમહોત્સવ પ્રારંભ કરાવ્યો હતો. આ બંને લોકોત્સવોનો વધુમાં વધુ લોકો લાભ લેશે એવો વિશ્વાસ પણ મુખ્યપ્રધાનને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દેશના અમૃતકાળમાં વડાપ્રધાને ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય આપ્યું છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નું લક્ષ્ય સિદ્ધ કરવાના સેવાયજ્ઞમાં સૌએ યોગદાન આપવાનું છે.

આ લોકો રહ્યા ઉપસ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું નહતું, પરંતુ આ વખતે કરવામાં આવ્યું છે. કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમાર (Kirit Parmar Ahmedabad Mayor), અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ (Gita Patel Deputy Mayor Ahmedabad), મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નાસરન, શહેરના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details