અમદાવાદરાજ્યમાં આવતીકાલે (ગુરૂવારે) 1 ડિસેમ્બરે પહેલા તબક્કાની ચૂંટણી (Gujarat Election 2022) માટે મતદાન થશે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. જોકે, આજે હવે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પ્રચાર કરશે. આ માટે તેઓ રાજ્યભરમાં સભાઓ તેમ જ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તો આવો જાણીએ કયા રાષ્ટ્રીય નેતા (BJP Star Campaigners Campaign) આજે ક્યાં હશે.
અમિત શાહના કાર્યક્રમકેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah Home Minister) રાજ્યમાં ત્રણ કાર્યક્રમ છે. તેઓ સવારે 11 વાગ્યે મહીસાગર જિલ્લામાં ઈરિગેશન ડિપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ખાતે સંતરામપુર વિધાનસભા બેઠક માટે જાહેરસભા સંબોધશે. ત્યારબાદ તેઓ બપોરે 4 વાગ્યે અમદાવાદમાં અસારવા ખાતે આવેલા મોહન સિનેમાથી કલાપીનગર બસ સ્ટેન્ડ સુધી રોડ શૉ કરી અસારવા બેઠક માટે પ્રચાર કરશે. તેમ જ તેઓ સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં ચંદ્રાસર ચોક ખાતે માણસા વિધાનસભા બેઠક માટે જાહેરસભા સંબોધશે.
જે.પી. નડ્ડાના કાર્યક્રમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (JP Nadda BJP President) આજે રાજ્યભરમાં પ્રચાર કરશે. તેઓ અમદાવાદમાં જમાલપુર ખાડિયામાં રોડ શૉ કરશે. ત્યારબાદ તેઓ બપોરે 3 વાગ્યે ખેડામાં રોડ શૉ કરશે. ઉપરાંત તેઓ રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં ઘાટલોડિયામાં આવેલા ફાઈવ પેટલ હોટલ ખાતે ડોક્ટર્સ સાથે સંવાદ કરશે.
રાજનાથ સિંહનું મિશન ગુજરાત દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh Defense Minister) પણ આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ સવારે 10 વાગ્યે અમદાવાદમાં નારણપુરાના પારસનગર ખાતે ડોર ટૂ ડોર સંપર્ક કરશે. ત્યારબાદ તેઓ બપોરે 3 વાગ્યે મહીસાગર જિલ્લામાં બાલાસિનોરના સેવાલિયા રોડ ખાતે આવેલા શ્રીનાથ ફાર્મમાં જાહેરસભા સંબોધશે. ત્યાંથી તેઓ વડોદરા જશે, અહીં તેઓ સાંજે 5.45 વાગ્યે વૈષ્ણવ સમાજ સંમેલનને સંબોધશે. અહીં જ તેઓ સાંજે 7 વાગ્યે સંખેડા ભવન ખાતે વૈષ્ણવ વણિક સંમેલનને સંબોધશે. ત્યારબાદ તેઓ રાત્રે 8 વાગ્યે પોલો ક્લબ ખાતે ડોક્ટર સેલ સંમેલનને સંબોધશે.