ગુજરાત

gujarat

જાણો પાર્ષદ દીક્ષા કેવી રીતે આપવામાં આવે છે

By

Published : Jan 7, 2023, 9:03 PM IST

જાણો પાર્ષદ દીક્ષા કેવી રીતે આપવામાં આવે છે
જાણો પાર્ષદ દીક્ષા કેવી રીતે આપવામાં આવે છે

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવ (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) ઉજવવામાં આવી રહ્યો છે.જેમાં 46 શિક્ષિત યુવાનોએ પાર્ષદ દીક્ષા (BAPS Parshad Diksha )ગ્રહણ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampraday )માં દીક્ષા લેતાં પહેલાં યુવાનોને કેવી તાલીમ અપાય છે, કેવા વિષયોનું જ્ઞાન અપાય છે અને કેવી રીતે દીક્ષા આપવામાં આવે છે તે જોઇએ.

દીક્ષા લેતાં પહેલાં યુવાનોને અનેક તાલીમ અપાય છે

અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) શુક્રવારે મહંત સ્વામી મહારાજ ન હાજરીમાં 46 યુવાનોને પાર્ષદની દીક્ષા આપવામાં આવી (BAPS Parshad Diksha ) હતી. અપેક્ષા લેતા પહેલા ત્રણ વર્ષ સુધી સાધક તરીકે સેવા દીક્ષા આપવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampraday )માં ત્રણ વર્ષ બાદની દીક્ષા બે વર્ષ બાદ ભગવી દીક્ષા આપવામાં આવે છે. આ ઉપરાંત પાર્ષદને હિંદુ ધર્મ, રામાયણ, મહાભારત, શાસ્ત્રોના જ્ઞાનનો અભ્યાસ પણ કરાવવામાં આવે છે.

આ પણ વાંચો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દીક્ષા સમારોહ : LIVE

દીક્ષા લેવા માટે ગ્રેજયુએટ હોવા જોઈએ અને માતાપિતાની મંજૂરી હોવી આવશ્યક સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લેવા વિશે મહંત વિવેકજીવનદાસ etv Bharat સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampraday )માં છેંતાલીસ યુવકોએ પાર્ષદની દીક્ષા (BAPS Parshad Diksha ) લીધી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બીએપીએસ પાર્ષદ દીક્ષા લેવાના ધારાધોરણ હોય છે. તેમની જે પહેલી લાયકાત જોવામાં આવે છે તે છે કે દીક્ષાર્થી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એટલું જ નહીં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લેવા માટેે દીર્ક્ષાર્થીના માતાપિતાની મંજૂરી પણ હોવી આવશ્યક માનવામાં આવે છે.

આ પણ વાંચો પ્રમુખ સ્વામીનગરમાં 46 ગ્રેજ્યુએટ BAPSના યુવાનોએ દીક્ષા લીધી

સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લેવા પહેલાંસ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લેવા ત્રણ વર્ષ સુધી સાધક તરીકે દીક્ષા આપવામાં આવે છે. તેની પણ ટ્રેનિંગ હોય છે. સેવા, પાઠ, શાસ્ત્રોનો અભ્યાસ ,ગોષ્ટિ અને જે પણ દર્શન અને સેવાના પાઠ અને નિયમ હોય છે તેની ટ્રેનિંગ ત્રણ વર્ષ સુધી આપવામાં આવે છે. ધર્મનો અભ્યાસ કરાવવામાં આવે છે.

પાર્ષદની દીક્ષા ક્યારે અપાય છેઉપર જણાવી તે તાલીમના3 વર્ષ બાદ પાર્ષદની દીક્ષા આપવામાં આવે છે. જે આજે 46 યુવકોને આપવામાં આવી છે. આ પાર્ષદની દીક્ષા (BAPS Parshad Diksha )માં પણ આગળ અભ્યાસ ચાલુ રહે છે. જેમાં સંપ્રદાયનો અભ્યાસ, હિન્દુધર્મનો અભ્યાસ ,શાસ્ત્રોનો અભ્યાસ સંસ્કૃત અને અંગ્રેજી ગુજરાતીમાં પણ આપવામાં આવે છે. જો સંગીતમાં રુચિ ધરાવતા હોય તો તે રીતે તેને શિક્ષણ આપવામાં આવે છે. પાર્ષદ થયા બાદ બે વર્ષ બાદ ભગવી દીક્ષા આપવામાં આવે છે. આ એક પ્રકારની ટ્રેનિંગ હોય છે.

ભગવી દીક્ષા મહંત વિવેકજીવનદાસ જણાવ્યું કે આમાં પણ આગળનો અભ્યાસ ચાલુ રહેશે. વધુમાં જણાવ્યું હતું કે ભગવી દીક્ષા બાદ પણ આગળ સંસ્કૃતમાં પણ માસ્ટર, પીએચડી સુધીની અભ્યાસ કરાવવામાં આવે છે. કોઈ સંગીતમાં હોય તો તેમાં પણ આગળ અભ્યાસ કરવામાં આવે છે. ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરાવવામાં આવે છે. આજે મહંત સ્વામી દ્વારા 46 યુવાનોને દીક્ષા આપવામાં આવી છે. તે પાર્ષદની દીક્ષા (BAPS Parshad Diksha ) આપવામાં આવી છે. આગળનો જે અભ્યાસક્રમ હશે તે ચાલતો રહેશે. એક વર્ષ બાદ કે બે વર્ષ બાદ ભગવી દીક્ષા પ્રાપ્ત થાય. ત્યારબાદ ટ્રેનિંગ શાળામાંથી બહાર આવે ત્યારે કોઈ મંદિર કે ગામડાની અંદર વિચરણ કરવાનું હોય છે. ત્યારબાદ સમાજ સેવા અને લોકોને વ્યસન મુક્તિ, જીવનમાં કોઇ પ્રશ્ન હોય તો પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મદદ કરે છે. આજ સંતો ભવિષ્યમાં સમાજની સેવા કરશે.

ABOUT THE AUTHOR

...view details