અમદાવાદ : શાહપુર વિસ્તારમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં શાહપુર નજીક રહેતા વર્ષીય ગુલામ હુસેન અબ્દુલ રહીમ મોમીન નામના વૃદ્ધ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક AMTS બસની અડફેટે વૃદ્ધનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે જાણ થતાં પરિવારજનો અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ મામલે ગુનો દાખલ કરવા અને કાર્યવાહી કરવા અંગે પરિવારે ઈન્કાર કર્યો હતો. ઉપરાંત મૃતકનું PM કરાવવાનો પણ ઇન્કાર કરી એફિડેવીટ કરવામાં આવ્યું હતું.
વૃદ્ધ યુગલ મોતને ભેટ્યા :બીજી અકસ્માતની ઘટના બપોરના સમયે ઓઢવ રીંગરોડ પર બની હતી. ઓઢવ રીંગરોડ પર પામ હોટલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કલોલના મોટી ભોયણ ખાતે રહેતા વૃદ્ધ તેમજ હાજીપુરના પુરુષ અને વૃદ્ધ મહિલાને ટ્રક ચાલકે અડફેટે લેતા ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બે લોકો ગુરૂપુનમ ભરીને હાથીજણ લાલગેબી આશ્રમથી મોટી ભોયણ પરત ફરી રહ્યા હતા. તે સમયે અજાણ્યા ટ્રક ચાલકની અડફેટે આવી જતા રસ્તા પર પટકાતા બંનેનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં 66 વર્ષીય ઠાકોર દલાજી અને 60 વર્ષીય મંગુબેનનું મૃત્યુ થતા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.