ગુજરાત

gujarat

Organ donation in Ahmedabad: વડોદરાના દર્દીની 19 વર્ષની પીડાનો આવ્યો અંત

By

Published : Jul 16, 2022, 8:28 PM IST

વડોદરાના દર્દીની 19 વર્ષની પીડાથી લાંબુ જીવી શકશે તેવી આશા સંપૂર્ણપણે છોડી ચૂક્યા હતા. છેલ્લા કેટલાય સમયથી આ દર્દીનું હૃદય ફક્ત 10 ટકા જ કામ (Organ donation in Ahmedabad)કરી રહ્યું હતુ. ત્યાં એકાએક તેમના જીવનમાં આશાનું કિરણ ઉગ્યું. વર્ષોથી હૃદયની પીડાથી પીડાતા વડોદરાના દર્દીને અમદાવાદના બ્રેઇનડેડ રાહુલ સોલંકીના હૃદયના દાનથી નવજીવન મળ્યું છે.

Organ donation in Ahmedabad: વડોદરાના દર્દીની 19 વર્ષની પીડાનો અંત આવ્યો
Organ donation in Ahmedabad: વડોદરાના દર્દીની 19 વર્ષની પીડાનો અંત આવ્યો

અમદાવાદઃ વડોદરાના 53 વર્ષના પુરુષ દર્દીની 19 વર્ષની પીડાનો આખરે અંત આવ્યો છે. વર્ષ 2003થી હૃદયની તકલીફથી પીડાઇ રહેલા દર્દી અંગદાનમાં મળેલા હૃદય થી આખરે પીડામુક્ત બન્યા છે. આ દર્દીએ વર્ષ 2003 માં હૃદયના ડબલ વાલ્વની સર્જરી (Organ donation in Ahmedabad)કરાવી હતી. સમય જતા દર્દીનું હૃદય નબળું પડવા લાગ્યું. છેલ્લા કેટલાય સમયથી આ દર્દીનું હૃદય ફક્ત 10 ટકા જ કામ કરી રહ્યું હતુ. દર્દી પોતાનું જીવન કાર્યક્ષમ બનશે અને તે લાંબુ જીવી શકશે તેવી આશા સંપૂર્ણપણે છોડી ચૂક્યા હતા.

હૃદયના પ્રત્યારોપણથી દર્દીને નવજીવન મળ્યું -ત્યાં એકાએક તેમના જીવનમાં આશાનું કિરણ ઉગ્યું. આજે તારીખ 16 મી જુલાઇની સવારે ત્રણ વાગ્યે સિવિલ હોસ્પિટલમાં 35 વર્ષના બ્રેઇનડેડ અંગદાતા રાહુલ સોલંકીના અંગદાનમાં મળેલા હૃદયના પ્રત્યારોપણથી( Organ donation in Gujarat )આ દર્દીને નવજીવન મળ્યું.

બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા -સમગ્ર વિગત એવી છે કે, અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 35 વર્ષના રાહુલ સોલંકીને 10 મી જુલાઇના રોજ માર્ગ અકસ્માત થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેઓની સ્થિતિ ગંભીર બનતા આઇ.સી.યુ.માં ખસેડવામાં આવ્યા. જ્યાં તબીબોની 5 દિવસની અથાગ મહેનત બાદ પણ આખરે ઇશ્વરને મંજુર હતુ તે જ થયું. તબીબો દ્વારા રાહુલને બ્રેઇનડેડ જાહેર (Organ donation after death)કરવામાં આવ્યા.

આ પણ વાંચોઃOrgan donation: અમદાવાદમાં 15 લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યો નિર્ણય, પતિના અંગોના દાન કરવા માટે પત્નીનું સન્માન

સેવાભાવ સાથે અંગદાન માટે સંમતિ દર્શાવી -રાહુલને બ્રેઇનડેડ જાહેર કરાતા તબીબો દ્વારા પરિવારજનોને અંગદાન માટે પ્રેરણા આપવામાં આવી. રાહુલના પરિવારના મોટા ભાગના સદસ્યો પોલીસમાં સેવા આપી ચૂક્યા છે.રાહુલ પોતે પણ સરકારી નોકરી મેળવીને દેશ સેવાના સ્વપ્ન સેવી રહ્યા હતા. સેવાભાવી પરિવારજનોએ બ્રેઇનડેડ રત્નના મૃત્યુ બાદ પણ અન્યને મદદરૂપ બનવાના સેવાભાવ સાથે અંગદાન માટે સંમતિ દર્શાવી.

બે કિડની અને એક લીવરનું દાન -જેના પરિણામે રાહુલના હૃદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. રાહુલના અંગદાનમાં મળેલા હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યા.

આ પણ વાંચોઃગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સિવિલ હોસ્પિટલમાં 77 અંગદાન, દર્દીઓના અંધકારમય જીવનમાં ઉજાસ ફેલાયો

મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી સહાય મળી -સીમ્સ હોસ્પિટલમાં દાખલ વડોદરાના 53 વર્ષના પુરુષ દર્દીની 5 કલાકની સફળ સર્જરીના અંતે સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું. સીમ્સ હોસ્પિટલમાં તબીબો દ્વારા જણાવ્યા મુજબ આ સર્જરી અત્યંત પડકારજનક બની રહી હતી. દર્દીની ડબલ વાલ્વ રીપ્લેસમેન્ટ સર્જરી થઇ હોવાના પરિણામે રીડુ પ્રકારની આ સર્જરી અત્યંત પડકારભરેલી બની રહી. 10 તબીબોની ટીમના અથાગ પરિશ્રમના પરિણામે આ સર્જરીમાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હૃદય પ્રત્યારોપણ માટે મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી પણ રૂપિયા 7.5 લાખની સહાય મળી છે.

આ સર્જરી અત્યંત પડકારભરેલી બની રહી -અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગોના રીટ્રાઇવલ માટેની ટીમ સતત કર્તવ્યનિષ્ઠા સાથે જીવથી જીવ બચાવવાના સેવાયજ્ઞમાં ફરજરત છે. રાહુલના અંગોના રીટ્રાઇવલની કામગીરી સવારે 3 વાગ્યે શરૂ થઇ હતી. 6 થી 7 કલાકના અથાગ પરિશ્રમ બાદ બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details