બેંગલુરુ: આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પાંચમી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડ ટોસ માટે મેદાનમાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ સાથે ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે. સૂર્યાએ આ મેચ માટે પ્લેઇંગ 11માં એક ફેરફાર કર્યો છે.
ભારતીય ટીમમાં ફેરફારઃ ભારતીય ટીમ પહેલાથી જ 5 મેચની T20 શ્રેણી 3-1થી જીતી ચૂકી છે. આવી સ્થિતિમાં તેને પોતાની બેન્ચ સ્ટ્રેન્થ તપાસવાનો મોકો મળ્યો હતો. પરંતુ સૂર્યાએ આવું ન કર્યું અને પ્લેઇંગ 11માં આખી સિરીઝમાં બેન્ચ પર બેઠેલા શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરને જગ્યા ન આપી. પરંતુ પાંચમી મેચમાં સૂર્યાએ ટીમમાં એક ફેરફાર કર્યો હતો. તેણે ચોથી T20 મેચમાં દીપક ચાહરને પ્લેઈંગ 11માંથી હટાવીને અર્શદીપ સિંહને પાંચમી અને અંતિમ મેચ માટે પ્લેઈંગ 11માં જગ્યા આપી છે.