ગુજરાત

gujarat

પાકિસ્તાનના પૂર્વ અમ્પાયર અસદ રઉફનું હાર્ટ એટેકથી નિધન

By

Published : Sep 15, 2022, 3:46 PM IST

Updated : Sep 15, 2022, 5:05 PM IST

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે લાહોરમાં તેની દુકાનેથી પરત ફર્યા બાદ તરત જ રઉફને હાર્ટ એટેક આવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ રમીઝ રાજાએ ટ્વીટ કરીને કહ્યું કે, અસદ રઉફના નિધનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. Former Pakistan umpire Asad Rauf, Asad Rauf dies of heart attack

પાકિસ્તાનના પૂર્વ અમ્પાયર અસદ રઉફનું હાર્ટ એટેકથી નિધન
પાકિસ્તાનના પૂર્વ અમ્પાયર અસદ રઉફનું હાર્ટ એટેકથી નિધન

નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ અમ્પાયર અસદ રઉફ (Former Pakistan umpire Asad Rauf) નું લાહોરમાં હાર્ટ એટેકથી નિધન ( Asad Rauf dies of heart attack) થયું છે. તેઓ 66 વર્ષના હતા. રઉફે વર્ષ 2000માં અમ્પાયર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે 64 ટેસ્ટ મેચોમાં અમ્પાયરિંગ કર્યું હતું. જેમાં તે 49 મેચોમાં ઓન ફીલ્ડ અમ્પાયર અને 15 મેચોમાં ટીવી અમ્પાયર હતા. આ સિવાય તેણે 139 વનડે અને 28 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં પણ અમ્પાયરિંગ કર્યું છે. તેઓ 2000ના દાયકામાં પાકિસ્તાનના અગ્રણી અમ્પાયરોમાંના એક હતા.

હાર્ટ અટેકથી નિધન : મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે લાહોરમાં તેની દુકાનેથી પરત ફર્યા બાદ તરત જ રઉફને હાર્ટ એટેક આવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ રમીઝ રાજાએ ટ્વીટ કરીને કહ્યું કે, અસદ રઉફના નિધનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. તે માત્ર એક સારા અમ્પાયર જ નહોતા પરંતુ તેની પાસે રમૂજ પણ હતી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.

અસદ રઉફની કારકિર્દી : રઉફે પાકિસ્તાનની નેશનલ બેંક અને રેલ્વે માટે 71 ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને બાદમાં અમ્પાયર બન્યો હતો. તેને એપ્રિલ 2006માં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની એલિટ પેનલમાં સામેલ કરવામાં આવ્યો હતો. અલીમ દાર સાથે તેઓ પાકિસ્તાનના અગ્રણી અમ્પાયરોમાંના એક હતા. જ્યારે મુંબઈ પોલીસે તેને IPL સ્પોટ ફિક્સિંગમાં આરોપી બનાવ્યો હતો ત્યારે તેની કારકિર્દી 2013 માં સમાપ્ત થઈ ગઈ હતી. ત્યારે રઉફ આ ટૂર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરી રહ્યા હતા.

પાંચ વર્ષનો પ્રતિબંધ : ત્યારપછી તેણે આઈપીએલ અધવચ્ચે છોડીને ભારત છોડી દીધું અને બાદમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ ખસી ગયો. ત્યારબાદ તેને ICC એલિટ પેનલમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. 2016 માં, ભારતીય ક્રિકેટ બોર્ડે ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂક માટે તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો.

Last Updated : Sep 15, 2022, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details