ગુજરાત

gujarat

બી.આર. ચોપડાની મહાભારત પર આધારિત કેબીસી રજીસ્ટ્રેશનનો 11મો પ્રશ્ન

By

Published : May 20, 2020, 8:41 PM IST

કેબીસી રજિસ્ટ્રેશનમાં 11મો પ્રશ્ન ક્લાસિક હિટ ટીવી સીરિઝ 'મહાભારત' સાથે જોડાયેલો છે. નવા વીડિયોમાં અમિતાભ બચ્ચને દર્શકોને પૂછ્યું કે મુકેશ ખન્નાએ 'મહાભારત'માં કયું પાત્ર ભજવ્યું હતું?

etv bharat
બીબી ચોપડાની મહાભારત પર આધારિત કેબીસી રજીસ્ટ્રેશનનો 11 મો પ્રશ્ન

મુંબઇ: પોપયુલર ટીવી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન માટે આ વખતે રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવામાં આવી રહ્યાં છે, જેનું કારણ કોરોના વાઇરસના લીધે દેશભરમાં લગાવામાં આવેલું લોકડાઉન છે.

ભૂતકાળથી કેબીસી રજીસ્ટ્રેશનના પ્રશ્નોની પ્રક્રિયા ચાલી રહી છે. ટીવી ચેનલે કેબીસી રજીસ્ટ્રેશનનો 11મો પ્રશ્ન ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જેનો જવાબ બીઆર ચોપડાની 'મહાભારત'માં છુપાયેલો છે.

વિડિઓની શરૂઆત શોના હોસ્ટ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી થાય છે જેમાં તે પહેલા સપનાઓ દેખવા અને તેના પૂરા થવાના મહત્વ વિશે વાત કરે છે.

પછી સવાલ પૂછે છે કે , 'બીઆર ચોપરાની ટીવી સીરિયલ મહાભારતમાં મુકેશ ખન્નાએ કયુ પાત્ર ભજવ્યું હતું?'

જવાબ માટે ચાર ઓપ્શન પણ આપવામાં આવ્યા છે: એ. અર્જુન, બી. ભગવાન શ્રીકૃષ્ણ, સી. ભીષ્મ અને ડી. ભીમ.

ABOUT THE AUTHOR

...view details