ગુજરાત

gujarat

PM Narendra Modi Japan Visit: પીસ મેમોરિયલની મુલાકાત બાદ મોદીએ ઋષિ સુનક સાથે હાથ મિલાવ્યા

By

Published : May 21, 2023, 9:25 AM IST

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો બીજો દિવસ રહ્યો છે. બીજા દિવસે તેમણે હિરોશીમામાં થયેલા પરમાણું હુમલામાં અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પી હતી.G7 સમિટ બેઠકમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન મોદી બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે ખાસ મુલાકાત કરશે

PM Narendra Modi Japan Visit: પીસ મેમોરિયલની મુલાકાત બાદ મોદીએ ઋષિ સુનક સાથે હાથ મિલાવ્યા
PM Narendra Modi Japan Visit: પીસ મેમોરિયલની મુલાકાત બાદ મોદીએ ઋષિ સુનક સાથે હાથ મિલાવ્યા

હિરોશીમાઃવડાપ્રધાન મોદી જાપાનની મુલાકાતે છે. 78 વર્ષ પહેલા અમેરિકા એ જ્યાં પરમાણું હુમલો કર્યો હતો એ જગ્યા પર વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા. જાપાને હિરોશીમામાં જ્યાં પરમાણું હુમલો થયો હતો ત્યાં પીસ મેમોરીયલ તૈયાર કર્યું છે. વડાપ્રધાન મોદીએ ત્યાં રહેલા એક ખાસ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. પીએમ ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કો-ઓપરેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પાપુઆ ન્યુ ગિની જવા રવાના થશે.

શું બોલ્યા મોદીઃ શનિવારે (20 મે)ના રોજ, પીએમ મોદીએ ઝેલેન્સકી સુધી જી-7 અને ક્વાડના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ક્વાડ સમિટમાં બોલતા પીએમએ કહ્યું હતું કે 'ક્વાડ ગ્રુપ એ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તે વિશ્વ વેપાર, નવીનતા અને વિકાસનું એન્જિન છે. બેઠક દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે 2024માં ભારતમાં ક્વાડ બેઠક યોજાશે. તે જ સમયે, પીએમ મોદીએ જાપાનના હિરોશિમામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી.

ભારત યુક્રેન માટેઃ આ દરમિયાન તેમણે યુદ્ધ વિશે કહ્યું હતું કે આ અમારા માટે માનવતાવાદી મુદ્દો છે, જેના ઉકેલ માટે ભારત ચોક્કસપણે યુક્રેન માટે કંઈક કરશે. તે જ સમયે, ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે G-7 જૂથની બેઠકમાં પ્રાથમિકતાઓ સાથે જોડાયેલા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

આ વિષય મુખ્યઃ જેમાં કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, જળવાયુ પરિવર્તન, ખાદ્ય અને આરોગ્ય અને વિકાસ ઉપરાંત ડિજિટાઈઝેશન જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ક્વાડની મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મંચ વૈશ્વિક ભલાઈ, લોકોના કલ્યાણ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રયાસ કરવાનું ચાલુ રાખશે. જાપાનના હિરોશિમામાં ક્વાડ મીટિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 2024માં ભારતમાં ક્વાડ સમિટનું આયોજન કરવામાં અમને ખુશી થશે.

  1. PM Modi and Aus PM Road Show : પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે રથ પર
  2. UPI PayNow Linkage : ભારત સિંગાપોર વચ્ચે ડિજિટલ વ્યવહારો બન્યા સરળ
  3. હવે વિવાદોની બોર્ડ નહિ, વિકાસનો કોરિડોર છે - PM મોદી

ABOUT THE AUTHOR

...view details