ગુજરાત

gujarat

Ukraine Russia invasion : યુક્રેનના માયકોલાઈવ બંદર પર 21 ભારતીય ખલાસીઓ ફસાયા

By

Published : Mar 6, 2022, 7:16 AM IST

યુદ્ધગ્રસ્ત યુક્રેનના (Russia Ukraine War) માયકોલાઈવ બંદર (Indian sailors stranded at Ukraine Mykolive port) પર વેપારી જહાજમાં સવાર ઓછામાં ઓછા 21 ભારતીય ખલાસીઓ છેલ્લા કેટલાક સમયથી ફસાયેલા છે, પરંતુ તેઓ બધા સુરક્ષિત છે અને તેમના પરિવારો અને શિપ મેનેજમેન્ટ એજન્સી સાથે નિયમિત સંપર્કમાં છે.

Ukraine Russia invasion : યુક્રેનના માયકોલાઈવ બંદર પર 21 ભારતીય ખલાસીઓ ફસાયા
Ukraine Russia invasion : યુક્રેનના માયકોલાઈવ બંદર પર 21 ભારતીય ખલાસીઓ ફસાયા

મુંબઈ: યુદ્ધગ્રસ્ત યુક્રેનના (Russia Ukraine War) માયકોલાઈવ બંદર (Indian sailors stranded at Ukraine Mykolive port) પર 21 ભારતીય નાવિક ફસાયેલા હોવાના અહેવાલ છે. આ માહિતી એજન્સીના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સંજય પરાશરે આપી હતી. પરાશરે કહ્યું કે, 24 અન્ય જહાજો પણ બંદર પર છે અને તેમાં ભારતીય ખલાસીઓ પણ છે.

શિપ મેનેજમેન્ટ એજન્સી પરિસ્થિતિ પર નજર રાખી

સંજય પરાશરે જણાવ્યું હતું કે, વીઆર મેરીટાઇમ (શિપ મેનેજમેન્ટ એજન્સી) પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસ અને એરિયા રેગ્યુલેટર શિપિંગના મહાનિર્દેશક સહિત તમામ સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિ વિશે માહિતગાર કરી રહ્યા છે. શિપિંગના મહાનિર્દેશક અમિતાભ કુમારનો ટિપ્પણી માટે સંપર્ક થઈ શક્યો ન હતો. પરાશરે જણાવ્યું હતું કે, ગયા મહિને રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂ જહાજમાંથી બહાર આવ્યો નથી અને જહાજ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો:ઇઝરાયેલના PM રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા

હાલમાં જહાજ પોર્ટ માયકોલિવ ખાતે ઉભું

સંજય પરાશરે જણાવ્યું હતું કે, હાલમાં જહાજ પોર્ટ માયકોલિવ ખાતે ઉભું છે. અમારા જહાજ સહિત કુલ 25 જહાજો ત્યાં છે. અન્ય જહાજોમાં પણ ભારતીય ખલાસીઓ છે. જ્યાં સુધી અમારા જહાજનો સંબંધ છે ત્યાં સુધી ક્રૂ અને જહાજ બંને સુરક્ષિત છે. જહાજ પર ઇન્ટરનેટ અને સેટેલાઇટ કમ્યુનિકેશન કામ કરી રહ્યું છે. અમે હાલમાં તમામ ક્રૂ મેમ્બર્સ અને તેમના પરિવારના સંપર્કમાં છીએ. તેમજ ક્રૂ પોતે પણ તેમના પરિવારના સભ્યોના સંપર્કમાં છે.

રશિયન સેના સંભવત બ્લેક સી કિનારે આવેલા બંદરની ખૂબ નજીક

કંપની પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર રશિયન સેના સંભવત બ્લેક સી કિનારે આવેલા બંદરની ખૂબ નજીક છે. તેણે કહ્યું કે જો રશિયન સેના બંદર પર આવે છે અને તે કેટલાક જહાજોને જવા દે છે તો તે સારું છે. અન્યથા અમને પોર્ટ ઓથોરિટી તરફથી કેટલીક સહાયની જરૂર પડશે, જેમાં કેટલીક ટગ બોટ અને અન્ય પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે જેથી જહાજો સુરક્ષિત રીતે પ્રયાણ કરી શકે.

યુક્રેનની અંદર બંકરમાં અથવા બીજે ક્યાંય રહેવા કરતાં વહાણમાં રહેવું વધુ સારું છે : સંજય પરાશર

સંજય પરાશરે જણાવ્યું હતું કે, જો કંપનીએ કટોકટીમાં તેના ક્રૂને બહાર કાઢવું ​​હોય, તો નજીકની પોલેન્ડ સરહદ 900 કિમી દૂર છે અને કિવમાં સલામત સ્થળે જવાનો અર્થ એ છે કે બંદર શહેરથી 500 કિમીની મુસાફરી કરવી પડશે. તેથી તેમના માટે અત્યારે આ બંન્નેમાંથી કોઈપણ સ્થળે પહોંચવું શક્ય નથી. અમે ખૂબ જ સાવધ છીએ. તેથી યુક્રેનની અંદર બંકરમાં અથવા બીજે ક્યાંય રહેવા કરતાં વહાણમાં રહેવું વધુ સારું છે.

આ પણ વાંચો:ભારતીયોને વતન પાછા લાવવા માટે વડાપ્રધાને બોલાવી બેઠક

કંપની દરરોજ ભારતીય દૂતાવાસને સ્ટેટસ રિપોર્ટ કરી રહી છે સબમિટ

કંપની દરરોજ ભારતીય દૂતાવાસને સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું. તેમણે એમ પણ કહ્યું કે કેટલીક અન્ય એજન્સીઓ, જેમ કે ઈન્ટરનેશનલ વોટર ટ્રાન્સપોર્ટ ફેડરેશન (IWTF) અને નેશનલ યુનિયન ઓફ સીફેરર્સ ઓફ ઈન્ડિયા (NUSI), પણ આ મુદ્દામાં સામેલ છે. IWTF એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય અને NUSI ના સેક્રેટરી જનરલ અબ્દુલગની સેરાંગના જણાવ્યા અનુસાર, તેમનું યુનિયન આ મુદ્દે તેના યુક્રેનિયન સમકક્ષ સાથે સતત સંપર્કમાં છે.

ABOUT THE AUTHOR

...view details