મુંબઈ :થાઈલેન્ડની ટુરિઝમ ઓથોરિટીએ બુધવારે ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય પ્રવાસીઓ (Thailand Changes Entry Rules) માટે ફુકેટ સેન્ડબોક્સ પ્લાન (Phuket sandbox plan) સિવાયના એન્ટ્રી પોઈન્ટથી દેશમાં પ્રવેશવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. થાઈલેન્ડ ટુરિઝમ ઓથોરિટીએ (Thailand Tourism Authority) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફૂકેટ સેન્ડબોક્સ પ્લાન હેઠળ ભારતીયો માટે ફૂકેટ ખુલ્લું રહેશે (Phuket Open For Tourism) અને RTPCR ટેસ્ટના પરિણામો બહાર ન આવે ત્યાં સુધી પ્રવાસીઓએ હોટેલમાં જ રાહ જોવી પડશે.
કોરાના રિપોર્ટ કરાવવો થયો ફરજીયાત
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જો રિપોર્ટ નેગેટિવ આવે તો તેઓ ફૂકેટમાં ફરી શકે છે, જો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ (RT-PCR Negative Report) આવે તો પાંચમા અને છઠ્ઠા દિવસે પણ મુસાફરો થાઈલેન્ડના અન્ય ભાગોમાં જઈ શકે છે.