ગુજરાત

gujarat

Priyanka Chopra In India: રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરાની આજે સગાઈ, પ્રિયંકા ચોપરા પહોંચી દિલ્હી

By

Published : May 13, 2023, 11:21 AM IST

Updated : May 13, 2023, 2:46 PM IST

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવુડની અભિનેત્રી પરણિતી ચોપરાની સગાઈ આજે સાંજે થવા જઈ રહી છે. વિશાળ કપુરથલા હાઉસમાં આયોજિત ભવ્ય સમારોહ માટે પરિણીતીની પિતરાઈ બહેન અને વૈશ્વિક સ્ટાર પ્રિયંકા ચોપરા આજે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં આવી હતી. સગાઈ પહલા રાઘવ ચઢ્ઢાનું ઘર રોશની અને ફુલોના રંગોળીથી શણગારવામાં આવ્યું છે.

રાઘવ ચઢ્ઢ-પરિણીતી ચોપરાની આજે સગાઈ, પ્રિયંકા ચોપરા પહોંચી દિલ્હી
રાઘવ ચઢ્ઢ-પરિણીતી ચોપરાની આજે સગાઈ, પ્રિયંકા ચોપરા પહોંચી દિલ્હી

નવી દિલ્હી:આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા તારીખ 13 મે શનિવારના રોજ અભિનેત્રી પરિણિતી ચોપરા સાથે તેમની સગાઈ માટે જશે. તેમના મામા પવન સચદેવ દ્વારા ડિઝાઇન કરાયેલ હાથીદાંતનું અચકન અને ટ્રાઉઝર પહેરશે. કપૂરથલા હાઉસમાં ખાસ કરીને પ્રિયંકા ચોપરા જોનાસ સહિત, દંપતીના નજીકના મિત્રો અને સંબંધીઓ સમારંભમાં પરિણીતી મનીષ મલ્હોત્રાના પહેરવેશમાં સજ્જ હશે. સગાઈ પહેલા મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પરિણીતીનું એપાર્ટમેન્ટ લાઈટથી ઝગમગી ઉઠ્યું છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાની દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં પરિણીતીનું બાંદ્રા હાઈરાઈઝમાં આવેલ એપાર્ટમેન્ટ ખાસ પ્રસંગ માટે ઝળહળતું જોવા મળે છે.

પ્રિયંકા ઈન ઈન્ડિયા: પ્રિયંકા જે પરિણીતીની બહેન છે તે અગાઉ લંડન એરપોર્ટ પર જોવા મળી હતી. એવી અટકળો વહેતી થઈ હતી કે, દેશી ગર્લ સગાઈમાં હાજરી આપવા માટે ભારત જઈ રહી છે. આ વાતને સાચી સાબિત કરતા પ્રિયંકા આજે સવારે પરિણીતી સાથેે દિલ્હી પહોંચી હતી. અભિનેત્રી એરપોર્ટ પર બ્રાઉન એક્ટિવવેર પહેરતી જોવા મળી હતી. સગાઈ સાંજે 5 વાગ્યે શરૂ થશે. શીખોના પવિત્ર પુસ્તક ગુરુ ગ્રંથ સાહેબમાંથી સુખમણી સાહેબના જાપ સાથે, જે 'અરદાસ' અથવા પવિત્ર પ્રાર્થના દ્વારા અનુસરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. Parineeeti Chopra engagement: પરિણીતી ચોપરાનું ઘર રોશનીથી શણગારવામાં આવ્યું, 13 મેના રોજ થશે સગાઈ
  2. Pulwama Attack Grey Wars: પુલવામા એટેક પર બનશે વેબ સિરીઝ 'ગ્રે વોર્સ'
  3. Raghav Parineeti Engagement: સગાઈ પહેલા સાંસદ રાઘવ ચઢ્ઢાના ઘરને શણગારવામાં આવ્યું, જુઓ અહીં તસવીર

સગાઈમાં આમંત્રિત મહેમાન: સગાઈમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના તેમના સમકક્ષ ભગવંત માન અને બોલિવૂડની હસ્તીઓ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે. કપૂરથલા હાઉસ હવે પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રી જ્યારે પણ શહેરમાં હોય ત્યારે તેમનું સત્તાવાર નિવાસસ્થાન છે. તે છેલ્લે કપુરથલાના મહારાજા પરમજીત સિંહ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. જેમણે તેને વર્ષ 1950માં રાધેશ્યામ માખનલાલ સેકસરિયા નામના વેપારીને વેચી દીધું હતું. પરંતુ પાછળથી ભારત સરકાર દ્વારા તેની માંગણી કરવામાં આવી હતી.

અભિનેત્રીનો વર્કફ્રન્ટ: રાઘવ અને પરિણીતીને ડેટ કરવા અંગેની અફવાઓ ગયા મહિને ત્યારે ઉભી થઈ હતી જ્યારે બંને લંડન અને પછી મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા. મુંબઈ એરપોર્ટ પર કે રેસ્ટોરાંમાંથી બહાર આવતાં બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યાં છે. વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો પરિણીતી ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'ચમકિલા'માં દિલજીત દોસાંઝ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ લોકપ્રિય પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

Last Updated : May 13, 2023, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details