ગુજરાત

gujarat

મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝને જામીન આપ્યા

By

Published : Nov 16, 2022, 9:43 AM IST

દિલ્હી કોર્ટે 200 કરોડ રૂપિયાના (Rs 200 crore money laundering case) મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને જામીન આપ્યા (Jacqueline Fernandez in money laundering case) છે. કોર્ટે કહ્યું કે, જેકલીન કોર્ટની પરવાનગીથી થોડા દિવસો માટે દેશની બહાર જઈ શકે છે. પરંતુ અભિનેત્રી કાયમ માટે દેશ છોડી શકે નહીં.

Etv Bharatમની લોન્ડરિંગ કેસમાં કોર્ટે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝને જામીન આપ્યા
Etv Bharatમની લોન્ડરિંગ કેસમાં કોર્ટે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝને જામીન આપ્યા

નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે મંગળવારે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને 200 કરોડ રૂપિયાના (Rs 200 crore money laundering case) મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે. જેમાં સુકેશ ચંદ્રશેકર સામેલ છે. વિશેષ ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિકે રૂપિયા 50,000ના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમની એક જામીન પર રાહત આપી (Jacqueline Fernandez in money laundering case) હતી. ન્યાયાધીશે તારીખ 31 ઓગસ્ટના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટની નોંધ લીધી હતી અને ફર્નાન્ડીઝને કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું.

મની લોન્ડરિંગ કેસ: તપાસના સંદર્ભમાં ED દ્વારા ઘણી વખત સમન્સ પાઠવવામાં આવેલા ફર્નાન્ડીઝને પુરવણી ચાર્જશીટમાં પ્રથમ વખત આરોપી તરીકે નામ આપવામાં આવ્યું હતું. EDની અગાઉની અને પૂરક ચાર્જશીટમાં તેણીનો આરોપી તરીકે ઉલ્લેખ નથી. જો કે દસ્તાવેજોમાં ફર્નાન્ડીઝ અને સાથી અભિનેતા નોરા ફતેહી દ્વારા નોંધાયેલા નિવેદનોની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસને પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેને મંગળવારે (તારીખ 15 નવેમ્બર) રૂપિયા 2 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા.

અભિનેત્રીને લાગુ શરત: અભિનેત્રી અગાઉ વચગાળાના જામીન પર હતી. આ પછી, તેમણે નિયમિત બેલ માટે અરજી કરી હતી. તારીખ 11 નવેમ્બરે થયેલી સુનાવણીમાં EDએ જેકલીનના જામીનનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું કે, જેકલીન પુરાવા સાથે ચેડા કરી શકે છે. વિદેશમાં પણ દોડી શકે છે. જેકલીનના વકીલે તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. જેક્લિને ED પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. નિર્ણયમાં કોર્ટે જેકલીનને વિદેશ જવાની છૂટ પણ આપી છે. કોર્ટે કહ્યું કે, જેકલીન કોર્ટની પરવાનગીથી થોડા દિવસો માટે દેશની બહાર જઈ શકે છે. પરંતુ અભિનેત્રી કાયમ માટે દેશ છોડી શકે નહીં.

ABOUT THE AUTHOR

...view details