ગુજરાત

gujarat

Conman Sukesh Chandrasekhar: કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને દુબઈ જવાની આપી મંજૂરી

By

Published : Jan 27, 2023, 4:51 PM IST

દિલ્હીની એક અદાલતે શુક્રવારે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Court allows Jacqueline to travel to Dubai)ને દુબઈ જવાની મંજૂરી આપી હતી. જેઓ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. જેમાં કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખર (conman Sukesh Chandrasekhar) પણ સામેલ છે.

conman Sukesh Chandrasekhar: કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને દુબઈ જવાની આપી મંજૂરી
conman Sukesh Chandrasekhar: કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને દુબઈ જવાની આપી મંજૂરી

નવી દિલ્હી: દિલ્હીની એક અદાલતે શુક્રવારે બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ જે રૂપિયા 200 કરોડની ખંડણીના કેસમાં આરોપીઓ પૈકીની એક છે. જે સુકેશ ચંદ્રશેખરને સંડોવતા હતા, તેને દુબઈ જવાની મંજૂરી આપી હતી. ફર્નાન્ડિઝે બુધવારે પેપ્સિકો ઈન્ડિયા કોન્ફરન્સ પહેલા તારીખ 27 થી 30 જાન્યુઆરી સુધી મુસાફરી કરવા માટે અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો:Sanjay Dutt Arshad Warsi film: મુન્ના એન્ડ સર્કિટ રિટર્ન્સ, ફિલ્મનું ફર્સ્ટલૂક પોસ્ટર શેર

જેક્લીનની રજૂઆતની નોંધ: પટિયાલા હાઉસ કોર્ટે ફર્નાન્ડીઝની રજૂઆતની નોંધ લીધી હતી કે, તે કંપની સાથે કરારબદ્ધ જવાબદારી હેઠળ છે અને જો તે તે કરવા માટે સક્ષમ ન હોય, તો તેના પર દાવો માંડવામાં આવી શકે છે. તે અન્ય સ્ટાર્સ સાથે તારીખ 29 જાન્યુઆરીએ આ કાર્યક્રમમાં પરફોર્મ કરશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જો કે, તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, અભિનેત્રીએ અગાઉ રેકોર્ડ પર કોઈ કરારની જવાબદારી મૂકી નથી. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ, શૈલેન્દ્ર મલિકે શુક્રવારે રાહત આપતા કહ્યું કે, ''તેણીની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ છે અને વ્યક્તિગત સ્વતંત્રતામાં ઘટાડો કરી શકાય નહીં.'' સોમવારે તેણે અભિનેત્રીને વ્યક્તિગત દેખાવમાંથી એક દિવસની છૂટ આપી હતી. ન્યાયાધીશે આ મામલામાં આરોપો ઘડવા અંગેની દલીલો સાંભળવાની હતી. પરંતુ સુનાવણી તારીખ 15 ફેબ્રુઆરી પર મુલતવી રાખી હતી.

આ પણ વાંચો:Masaba Gupta Satyadeep Misra marriage: ડિઝાઈનર મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રાએ કર્યા લગ્ન

છેતરપિંડીનો આરોપ: ફર્નાન્ડીઝ ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ બહેરીનમાં તેની બીમાર માતાની મુલાકાત લેવા વિદેશ પ્રવાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. પરંતુ તેણીએ તે પાછું ખેંચી લીધું હતું. કારણ કે, કોર્ટ તેણીને વિદેશ પ્રવાસની મંજૂરી આપવા તૈયાર ન હતી. આ કેસમાં ચંદ્રશેખર પર રાજનેતાઓ, સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા પડાવવાનો અને ફાર્મા કંપની રેનબેક્સીના ભૂતપૂર્વ માલિક શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ સાથે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેણે કથિત રીતે જેકલીનને સુપર મોંઘી ભેટો મોકલી હતી. જ્યારે તેણે તેના જામીન સમયગાળા દરમિયાન તેના માટે મુંબઈથી ચેન્નાઈની ચાર્ટર્ડ ફ્લાઈટ પણ બુક કરાવી હતી. વધુમાં EDના જણાવ્યા મુજબ એવી શંકા છે કે, તેણે અદિતિ સિંઘ પાસેથી ખંડણી વસૂલવામાં આવેલા નાણાંનો મોટો હિસ્સો અભિનેતાને મોકલ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details