હૈદરાબાદ:રામાયણના નામ પર ફિલ્મ 'આદિપુરુષ' બનાવીને નિર્માતાઓએ રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. 'રામાયણ' જેવી સાદગી અને શાલીનતા 'આદિપુરુષ'માં ક્યાંય જોવા મળતી નથી. જેના કારણે આજની પેઢીમાં 'રામાયણ'નું ખોટું સ્વરૂપ 'આદિપુરુષ' તરીકે રજૂ કરવામાં આવ્યું છે. હવે તેમની આસ્થા સાથે જોડાયેલા લોકોમાં 'રામાયણ'ને પુનર્જીવિત કરવા અને 'આદિપુરુષ' જેવી ખરાબ રચનાને તેમના હૃદય અને દિમાગમાંથી દૂર કરવા માટે એક ચેનલે 'રામાયણ'ને ફરીથી પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે.
Ramayan: 'આદિપુરુષ' રાવ વચ્ચે, રામાનંદ સાગરની 'રામાયણ' TV પર ફરી શરૂ થશે
'રામાયણ'ને દેશવાસીઓના દિલમાં જીવંત રાખવા માટે તેને ફરી એકવાર TV પર બતાવવામાં આવશે. 'આદિપુરુષ'ના કારણે આવું પગલું ભરવામાં આવી રહ્યું છે. દર્શકોમાં તાજેતરની ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને ખુબજ ગુસ્સમાં છે. હવે આ ફિલ્મ જોવાનુ કોઈ પસંદ કરી રહ્યું નથી. અહિં જાણો ક્યારે અને ક્યાં તમે 'રામાયણ' જોઈ શકશો.
આદુપરુષ સામે રામાયણ: જાણો રામાનંદ સાગરની 'રામાયણ' ક્યારે અને ક્યાં પ્રસારિત થશે. 'આદિપુરુષ'થી દેશભરમાં ફેલાયેલા ગુસ્સાને કારણે ફિલ્મ વિભાજિત થઈ ગઈ છે. ફિલ્મમાં રામથી રાવણનું સ્વરૂપ અને તેના પાત્રનું વર્ણન ખૂબ જ અણઘડ રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 12 દિવસમાં બોક્સ ઓફિસ પર ઠંડી પડી ગઈ છે અને કોઈ પણ ફિલ્મ જોવાનું મન બનાવી રહ્યું નથી. 'રામાયણ'માં પણ રામ-અરુણ ગોવિલ, લક્ષ્મણ-સુનીલ લહેરી અને સીતા-દીપિકા ચીખલિયાએ ફિલ્મ 'આદિપુરુષ'ને નબળી રચના ગણાવી છે.
શેમારુ પર રામાયણ: લોકોના દિલમાં ઘર કરી ચૂકેલા આ સ્ટાર્સે કહ્યું કે, આજ સુધી ભગવાન રામના નામ પર 'આદિપુરુષ' જેવું સસ્તું સર્જન જોયું નથી. આવી સ્થિતિમાં શેમારૂ TVએ જાહેરાત કરી છે કે, તે રામાનંદ સાગરની 'રામાયણ' તારીખ 3જી જુલાઈથી સાંજે 7.30 વાગ્યે પ્રસારિત કરશે. ફિલ્મ 'આદિપુરુષ'ના મેકર્સ કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલા છે અને કોર્ટના સવાલોના જવાબ આપી રહ્યા છે. આદિપુરુષ ફિલ્મને લઈને દેશમાં જ નહિં પરંતુ વિદેશમાં પણ જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.