- સુરતમાં પોતાના હકના પૈસા માગવા જતા વેપારીને મળી ધમકી
- દિલ્હીના બે વેપારીઓએ સુરતના વેપારી સાથે કરી છેતરપિંડી
- રૂ. 18,22,645 લાખની સાડી ખરીદી કરી પૈસા ન ચૂકવ્યા
- ઉઘરાણું માંગવા જતા બંધ એકાઉન્ટ ચેક આપી વાયદાઓ કરતા
- દિલ્લીના બે વેપારી સહિત દલાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સુરતઃ સુરત મિલેનિયમ માર્કેટમાં કાપડનો વેપાર કરતાં 47 વર્ષીય નવનીતકુમાર મોહનલાલ અગ્રવાલ પાસેથી 3 ઓક્ટોબરથી 30 ડિસેમ્બર 2019 દરમિયાન દિલ્હીના વેપારીઓ સચિન આર્યા, દિપક ઠાકુરે રૂ. 18 લાખની સાડી ખરીદી હતી. બંને વેપારીઓ ચાંદની ચોક ખાતે સુભાષ માર્કેટમાં ઓફિસ ધરાવતા દલાલ લાલચંદ જૈન મારફતે રૂપિયા 18,22,645ની કિંમતની સાડીઓ 60 દિવસની ઉઘરાણીમાં ખરીદી હતી. બંને વેપારીઓ દિલ્લી ખાતે આવેલી નઈ ઈશ્વર માર્કેટમાં આર્યા ટેક્સટાઈલના નામે વેપાર કરે છે.