ગુજરાત

gujarat

જૂનાગઢની લીલી પરિક્રમા રાજસ્થાનથી ઢોલક વેચવા આવેલા વેપારીઓ માટે મોંઘી સાબિત થઈ, આવકમાં થયો ધરખમ ઘટાડો

By

Published : Nov 18, 2021, 11:29 AM IST

જૂનાગઢની લીલી પરિક્રમા રાજસ્થાનથી ઢોલક વેચવા આવેલા વેપારીઓ માટે મોંઘી સાબિત થઈ, આવકમાં થયો ધરખમ ઘટાડો

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (Lili Parikrama) પ્રતિકાત્મકરૂપે યોજાઈ રહી છે. ત્યારે આ વર્ષે મેળાને કારણે નાના વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. કારણ કે, દર વર્ષે લીલી પરિક્રમામાં રાજસ્થાનથી ઢોલક વેચવા મોટી સંખ્યામાં વેપારીઓ (Dholak traders) આવતા હોય છે, પરંતુ આ વખતે પરિક્રમાર્થીઓની પાંખી હાજરીના કારણે ઢોલકના વેપારીઓની (Income of Dholak traders) આવકમાં પણ ધરખમ ઘટાડો થયો છે.

  • પ્રતિકાત્મક લીલી પરિક્રમાના (Lili Parikrama) કારણે નાના અને મધ્યમ રોજગારી મેળવતા કારીગરો રોજગારીને લઈને બન્યા ચિંતિત
  • છેલ્લા કેટલાય વર્ષોથી રાજસ્થાની કલાકારો ભવનાથમાં આયોજિત મેળામાંથી મેળવી રહ્યા હતા વર્ષભરની રોજગારી
  • પરિક્રમાર્થીઓની ઓછી સંખ્યાના કારણે ઢોલકના વેપારીઓએ 100 રૂપિયાનો ઢોલક 60 રૂપિયામાં વેચવો પડે છે

જૂનાગઢઃ દર વર્ષે જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમામાં (Lili Parikrama મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ જોડાતા હોય છે, પરંતુ આ વખતે માત્ર પ્રતિકાત્મકરૂપે પરિક્રમા યોજાતી હોવાથી પરિક્રમાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. તો આની અસર વેપારીઓ પર પણ જોવા મળી છે. આવી જ રીતે દયનીય સ્થિતિ બની છે રાજસ્થાનથી આવેલા ઢોલકના વેપારીઓની. આ વેપારીઓ દર વર્ષે અહીં પરિક્રમા દરમિયાન સારી આવક મેળવતા હોય છે, પરંતુ આ વખતે તેમની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. આ સાથે જ વેપારીઓ જે ઢોલ 100 રૂપિયામાં વેચતા હતા. તે હવે 60થી 70 રૂપિયામાં વેચવાનો વારો આવ્યો છે.

પ્રતિકાત્મક લીલી પરિક્રમાના (Lili Parikrama) કારણે નાના અને મધ્યમ રોજગારી મેળવતા કારીગરો રોજગારીને લઈને બન્યા ચિંતિત

વેપારીઓને મહાશિવરાત્રિ અને પરિક્રમાના મેળામાં સારી આવક થતી હતી

આ વર્ષે મેળાને લઈને નાના વેપારીઓમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિક્રમાના મેળામાં ઢોલક વેચવા આવતા રાજસ્થાની કારીગરો પરિક્રમાર્થીઓને પાંખી હાજરીના કારણે ચિંતિત જોવા મળી રહ્યા હતા. છેલ્લા કેટલાય વર્ષથી ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રિ (Mahashivratri) અને પરિક્રમાના મેળાને (Parikrama Fair) લઈને પરંપરાગત કારીગરો મેળામાં રાજસ્થાની ઢોલક વેચવા આવતા હોય છે અને વર્ષભરની કમાણી જૂનાગઢમાં આયોજિત 2 મેળાઓ દરમિયાન કરતા હોય છે, પરંતુ આ વર્ષે પરિક્રમાર્થીઓની ખૂબ પાખી સંખ્યાને કારણે રાજસ્થાની કારીગરો પોતાની રોજીરોટીને લઈને ચિંતિત બન્યા છે.

છેલ્લા કેટલાય વર્ષોથી રાજસ્થાની કલાકારો ભવનાથમાં આયોજિત મેળામાંથી મેળવી રહ્યા હતા વર્ષભરની રોજગારી

આ પણ વાંચો-ભરૂચઃ નવરાત્રીમાં કોરોનાનું ગ્રહણ લાગતાં વાજિંત્રોના વેપારીઓની હાલત કફોડી બની

વર્ષ 2018 પહેલા લીલી પરિક્રમાના મેળામાં 15 લાખથી વધુ પરિક્રમાર્થીઓ મેળામાં આવતા હતા

ગરબા ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમા (Lili Parikrama) આ વર્ષે પ્રતિકાત્મક રીતે યોજવાનો જિલ્લા વહીવટી તંત્રએ નિર્ણય કર્યો હતો, જેને લઈને આ વર્ષે પરિક્રમામાં આવનારા ભક્તો અને પરિક્રમાર્થીઓને સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2018 પહેલા દર વર્ષે પાવનકારી લીલી પરિક્રમાના (Lili Parikrama) મેળામાં 15 લાખથી વધુ પરિક્રમાર્થીઓ મેળામાં આવતા હોય છે. પરિક્રમાર્થીઓની આ સંખ્યા નાના અને મધ્યમ રોજગારી મેળવતા લોકોને ખૂબ જ મદદ કરતી આવી છે.

પરિક્રમાર્થીઓની ઓછી સંખ્યાના કારણે ઢોલકના વેપારીઓએ 100 રૂપિયાનો ઢોલક 60 રૂપિયામાં વેચવો પડે છે

આ પણ વાંચો-પાટણમાં નવરાત્રિને લઈ વાજિંત્રોના ધંધાર્થીઓમાં ઉત્સાહનો સંચાર

એક તરફ આવક ઓછી અને બીજી તરફ કાચા માલનો ભાવ 3 ગણો વધ્યો

રાજસ્થાની કારીગર અને ઢોલકના વેપારી (Dholak trader) સૈફ અલીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાંક વર્ષોની સરખામણીએ ઢોલક બનાવવાનો જે કાચો માલ બજારમાં મળી રહ્યો છે. તેના બજારભાવમાં પણ 2થી લઈને 3 ગણો વધારો જોવા મળી રહ્યો છે, જેની વિપરિત અસર તેમના રોજગાર પણ પડી રહી છે. આ વર્ષે પરિક્રમાના મેળામાં ખૂબ ઓછી સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવતા તેમણે બનાવેલા ઢોલકનું વેચાણ ખૂબ જ ઘટી ગયું છે. એટલી હદે રોજગારી પર વિપરીત અસર પડી છે કે, તૈયાર બનેલા ઢોલક પોતાના વતન રાજસ્થાન લઈ જવા સુધીની મુશ્કેલ પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details