ગુજરાત

gujarat

જામનગર શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સંકલ્પ યાત્રા યોજાઈ

By

Published : Aug 20, 2021, 12:19 PM IST

Updated : Aug 20, 2021, 3:49 PM IST

ભારતીય જનતા યુવા મોરચા જામનગર શહેર દ્વારા યુવા સંકલ્પ યાત્રા યોજાઈ
ભારતીય જનતા યુવા મોરચા જામનગર શહેર દ્વારા યુવા સંકલ્પ યાત્રા યોજાઈ

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના 75 વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં યુવા ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતેથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતુ.

  • જામનગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યુવા સંકલ્પ યાત્રા યોજાઈ
  • મેરેથોન દોડને લય જામનગર વાસીઓમાં ઉત્સાહ
  • આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદી 75 વર્ષની ઉજવણી

જામનગર:આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના 75 વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં યુવા ભાજપ દ્વારા મેરેથોન અને સાયકલના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે જામનગરની જનતાનુ સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી ભારતીય જનતા યુવા ભાજપ દ્વારા યાત્રા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 1000 થી વધુ (મહિલા, બાળકો, જનરલ તથા વિકલાંગ) સહિતના લોકોએ ભાગ લીધો હતો. જામનગરમાં લાલ બંગલા સર્કલથી મેરેથોન દોડનું આયોજન કરામાં આવ્યું હતુ.

ભારતીય જનતા યુવા મોરચા જામનગર શહેર દ્વારા યુવા સંકલ્પ યાત્રા યોજાઈ

આ પણ વાંચો:જામનગરમાં કોંગી મહિલા કોર્પોરેટરનો અનોખો વિરોધ, રખડતા ઢોર મનપા કચેરીના પટાંગણમાં બાંધ્યાદોડનું આયોજન

જેમાં બાળકોની કેટેગરીમાં જાડેજા રૂષિરાજસિંહ, મિત રાયઠઠા, ચંદ્રેશ્વર મહેતા, ૐ જેઠવા, જય રાવળીયા, મહિલા કેટેગરીમાં માજી કાજલ, કદાવડા જયમીન, મિસ્ત્રી માહી, કટેશીયા મિત્તલ, ડાભી શીતળ, તથા જનરલ કેટેગરીમાં જયરાજસિંહ એમ જાડેજા, જાડેજા મનજીતસિંહ જોગેન્દ્રસિંહ, કરણ જોડ, કૃષ્ણાનંદ તિવારી, વનરાજગીરી અપારનાથી અનુક્રમે એકથી પાંચમુ સ્થાન પ્રાપ્ત કર્યા હતા. વિશેષથી આ દોડમાં વિકલાંગ બાળકોએ પણ ભાગ લીધો હતો.

ભારતીય જનતા યુવા મોરચા જામનગર શહેર દ્વારા યુવા સંકલ્પ યાત્રા યોજાઈ

આ પણ વાંચો:જામનગરમાં બિરિયાનીની લારી ચલાવતા પિતાની પુત્રીઓએ ક્રિકેટમાં ડંકો વગાડ્યો

પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, રાજ્યપ્રધાન ધમેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, ડે. મેયર તપન પરમાર, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, શિક્ષણ સમિતિ ચેરેમેન આકાશ બારડ, યુવા મોરચા અધ્યક્ષ દિલીપસિંહ જાડેજા, મહામંત્રી વિરલભાઈ બારડ, ચિંતન ચોવટીયા સહીત શહેર સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ, યુવા મોરચાની ટિમ, મહિલા મોરચા, કિશાન મોરચા સહીત તમામ મોરચાઓના પદાધિકારીઓ, કોર્પોરેટરઓ, વોર્ડ સમિતિના હોદેદારો, પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતુ.

Last Updated :Aug 20, 2021, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details