ગુજરાત

gujarat

જામનગર:ભાજપ સ્નેહ મિલનમાં સી.આર પાટીલે ચૂંટાયેલા પ્રતિનધિઓની ખોટી હવા કાઢી નાખવા કહ્યું

By

Published : Nov 21, 2021, 4:29 PM IST

CR Patil angry on elected representatives

પાટીલે કહ્યું હતું કે, (CR Patil angry on elected representatives) એક પણ કાર્યકર્તા ગાંધીનગર આવે તો તે જમ્યા વિનાનો જવો જોઈએ નહી, એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે અને સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં જો હવા ભરાઈ ગઇ હોય, તો તે હવા પણ તેમને કાઢતા આવડે છે.

  • ભાજપનું સ્નેહમિલન યોજાયું
  • સી.આર પાટીલે ચૂંટાયેલા પ્રતિનધિઓની ખોટી હવા કાઢી નાખવા કહ્યું
  • મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ મળ્યા

જામનગર: ઓશવાળ સેન્ટર ખાતે ભાજપના સ્નેહ મિલનમાં ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉદબોધન કરતી વખતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર (CR Patil angry on elected representatives) ભારે ચાબખા માર્યા હતા. પાટીલે કહ્યું હતું કે, એક પણ કાર્યકર્તા ગાંધીનગર આવે તો તે જમ્યા વિનાનો જવો જોઈએ નહી, એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે અને સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં જો હવા ભરાઈ ગઇ હોય, તો તે હવા પણ તેમને કાઢતા આવડે છે.

CR Patil angry on elected representatives

ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ નહીં કરે તો તેની હવા કાઢી નાખવામાં આવશે

સ્નેહમિલન કાર્યક્રમમાં સી.આર પાટીલ (CR Patil in Jamnagar BJP's Get together)ના ચાબખાથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને મંચ પર રહેલા બે પ્રધાન તેમજ ધારાસભ્યને સાંસદ પણ લોકોની હસીમાં હસવા લાગ્યા હતા.

જામનગર: ભાજપનું સ્નેહમિલન

સી.આર.પાટીલે ભાજપ અને કોંગ્રેસને પણ આડે હાથે લીધી

સાથે સાથે સંસદ સી.આર પાટીલે પેજ કમિટી પર વધુ ભાર મૂક્યો અને તમામ લોકોએ સો ટકા પેજ કમિટી પર કામ કરવા હાકલ પણ કરી છે. સી.આર પાટીલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને બંને પક્ષ પ્રજાનું કામ કરવામાં સતત નિષ્ફળ રહી છે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો:રાજકોટ ભાજપ સંગઠનમાં કોઈ પ્રશ્ન નથીઃ સી આર પાટીલ

આ પણ વાંચો:ભાજપમાં વિખવાદ! પાટીલ રાજકોટના પ્રવાસે, પણ એકેય કાર્યક્રમમાં હાજર જોવા ન મળ્યા રૂપાણી

ABOUT THE AUTHOR

...view details