ગુજરાત

gujarat

Shala Praveshotsav 2022 : પૂર્વ શિક્ષણપ્રધાને ખાનગી શાળાઓના શિક્ષકો અંગે આપ્યું વિવાદિત નિવેદન

By

Published : Jun 25, 2022, 4:09 PM IST

Shala Praveshotsav 2022 : ભાવનગરમાં પૂર્વ શિક્ષણપ્રધાનના નિવેદનથી પ્રશ્નો થયા ઉભા

ભાવનગર શહેરના પૂર્વના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ પ્રધાન વિભાવરી દવેએ જાહેર સ્ટેજ પરથી પ્રવેશોત્સવમાં (Shala Praveshotsav 2022) ખાનગી શાળા સામે સવાલો ઉભા કરતું નિવેદન આપ્યું હતું. શિક્ષકોની લાયકાત (Bhavnagar Shala Praveshotsav) અને તેના પગાર ધોરણને લઈ શોષણ બાબતને પ્રશ્ન ઉભો થાય તેવું નિવેદન આપ્યું છે. જાણો શુ કહે છે વિભાવરી દવે.

ભાવનગર :ભાવનગર શહેરમાં હાલમાં ચાલી રહેલા પ્રવેશોત્સવમાં પૂર્વ શિક્ષણપ્રધાન વિભાવરી દવે પણ હાજરી આપી હતી. પ્રવેશોત્સવમાં (Shala Praveshotsav 2022) વાલીઓ સામે પૂર્વ શિક્ષણપ્રધાને ખાનગી શાળાના શિક્ષકો અને તેના પગાર ધોરણની લાયકાત પર પ્રશ્ન ઉભો કરી દીધો છે.

ભાવનગરમાં પૂર્વ શિક્ષણપ્રધાનનો જાહેરમાં ટહુકો

પૂર્વ શિક્ષણપ્રધાને ખાનગી શાળાને ટાર્ગેટ કરી -ભાવનગર શહેરની લંબે હનુમાન પાસે આવેલી સરકારી શાળાના પ્રવેશોત્સવમાં હાજરી આપવા પૂર્વ શિક્ષણપ્રધાન વિભાવરી દવે પહોંચ્યા હતા. શિક્ષણ સમિતિના ચેરમેનથી લઈને શાસનાધિકારી સહિત વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જાહેર સરકારી શાળાની તુલનામાં ખાનગી શાળાના શિક્ષકો અને તેના પગાર ધોરણની લાયકાત સામે સવાલ ઉભો કર્યો હતો. આ સિવાય વાલીઓ અશિક્ષિત અને શિક્ષિતનો તફાવત પણ જણાવી વાલીઓને પણ ટકોર કરી હતી.

વિભાવરી દવેએ જાહેર સ્ટેજ પરથી નિવેદન

આ પણ વાંચો :મનીષ સિસોદિયાએ કૉંગ્રેસને લીધી આડેહાથ, કહ્યું- આ પાર્ટી પર તો હવે...

શિક્ષણપ્રધાને શું કહ્યું -ખાનગી શાળાઓમાં હોટ લાગતી હોય છે વાલીઓની તેના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ ત્યાં મળી રહે ત્યારે આજે સરકારી શાળાના પ્રવેશોત્સવમાં પૂર્વ શિક્ષણપ્રધાનએ ખાનગી શાળાઓ સામે સવાલો ઉભા કર્યા છે. વિભાવરી દવેએ જણાવ્યું હતું કે, સરકારી શાળાઓમાં પગાર ધોરણ 25 હજારથી શરૂ થઈને 1 લાખ સુધી પહોચે, જ્યારે ખાનગીમાં 5 હજારથી લઈને 25 હજાર સુધી જ મળે છે. ખાનગી શાળાના વાલીઓ શિક્ષિત હોય છે, જ્યારે સરકારીમાં કેટલાક વાલી અશિક્ષિત હોય છે માટે શાળાઓમાં સાંજના સમયે વાલી વર્ગ શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ગુજરાતમાં ભાજપની નિયત જ નથી સારી સરકારી સ્કૂલ બનાવવાનીઃ મનીષ સિસોદિયા

પૂર્વ શિક્ષણપ્રધાનના નિવેદનથી શું પ્રશ્ન થાય ઉભા - પૂર્વ શિક્ષણપ્રધાન (Vibhavari Dave Statement) વિભાવરી દવેએ કહ્યું કે, પાંચ પચીસ વાળા શિક્ષકો ખાનગીમાં ભણાવે છે, જ્યારે સરકારમાં શરૂઆત જ પચીસથી એક લાખ સુધી પગાર વાળા શિક્ષકો છે. આ નિવેદનથી (Shala Praveshotsav Started) પ્રશ્નો ઉભા થાય છે. ખાનગી શાળાના શિક્ષકોની લાયકાત નથી હોતી એટલે પગાર ધોરણ નીચું છે ?, શું 5 થી 10 હજારમાં શિક્ષકોનું શોષણ થાય છે ?, ખાનગી શાળામાં જો આ સ્થિતિ હોય તો સરકારના શિક્ષણના કોઈ નિયમ છે ? પૂર્વ શિક્ષણપ્રધાને શિક્ષણને વ્યાપાર જગત બનાવવા ખાનગી શાળાઓ સામે સવાલ ત્યારે ઉભો કર્યો છે, જ્યારે તેઓ શિક્ષણપ્રધાન નથી. પૂર્વ શિક્ષણપ્રધાનના આ નિવેદન બાદ શું સરકારે લાયકાત અને પગાર ધોરણ ખાનગી શાળાઓ માટે નિશ્ચિત કરવા પડશે ?

ABOUT THE AUTHOR

...view details