ગુજરાત

gujarat

ઇન્સ્યોરન્સ કંપનીને કોર્ટે આપ્યો ઝટકો, મેડિક્લેમની તમામ રકમ ગ્રાહકને આપવા આદેશ કર્યો

By

Published : Aug 12, 2021, 4:47 PM IST

Updated : Aug 13, 2021, 8:44 AM IST

ઇન્સ્યોરન્સ કંપનીને કોર્ટે આપ્યો ઝટકો,  મેડિક્લેમની તમામ રકમ ગ્રાહકને આપવા આદેશ કર્યો

મેડિકલ ઇન્સ્યોરન્સ આપતી કંપનીએ રિઝનેબલ એન્ડ કસ્ટમરી ચાર્જીસની કોઇ વ્યાખ્યા ન કરી હોવાથી કોર્ટે કંપનીને મેડિક્લેમની તમામ રકમ ગ્રાહકને આપવા આદેશ કર્યો છે. ઇન્સ્યોરન્સ કંપની કે જે મોટાભાગના કિસ્સાઓમાં મેડિક્લેમની પોલિસીમાં રિઝનેબલ કસ્ટમરીની રકમ આપવા આનાકાની કરતી હોય છે. તેવી કંપનીઓ માટે અમદાવાદ ગ્રાહક કોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે.

  • મેડિક્લેમની પૂરી રકમ આપવા કોર્ટનો આદેશ
  • રિઝનેબલ કસ્ટમર ચાર્જીસના ધોરણ વિશે ઇન્સ્યોરન્સ કંપની જણાવી ન શકી
  • રકમ 7 ટકા વ્યાજ સાથે ગ્રાહકને આપવા માટે આદેશ કર્યો

વીમા કંપનીઓને બોધપાઠ ભણાવતાં કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું છે કે સર્જન ચાર્જીસ, ઓપરેશનલ ચાર્જીસ, ટ્રીટમેન્ટ ચાર્જીસ ડોક્ટરે ડોક્ટરે અને હોસ્પિટલ હોસ્પિટલે બદલાતાં હોય છે. તેથી તેની કોઈ એક સ્ટ્રેટેજી કે ફોર્મ્યુલા ન હોઇ શકે. વધુમાં રિઝનેબલ કસ્ટમર ચાર્જીસનું શું ધોરણ છે તે પણ ઇન્સ્યોરન્સ કંપની બતાવી શકી નથી તેથી ફરિયાદીને તેની હકદાર રકમ મળવાપાત્ર છે.


શું છે સમગ્ર મામલો?

અમદાવાદના ગોતામાં રહેતા રાજેશકુમાર શાહ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની લિમિટેડ ખાતે 3 લાખ રૂપિયાની પોલીસી કરાવી હતી. જેમાં તેમને જમણા ખભાની સારવાર દરમિયાન હોસ્પિટલમાં 1 લાખ 5 હજાર 587 રૂપિયાનો ખર્ચ આવ્યો. આ અંગે ફરિયાદીએ પોલીસી ક્લેઇમ કરતા ઇન્સ્યોરન્સ કંપનીએ 18106 કે જે હોસ્પિટલ દ્વારા રિજનેબલ રિસ્ટરીક્નના ન ચૂકવતા ગ્રાહકે કોર્ટમાં વ્યાજ વળતર અને ખર્ચ માટે ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદીએ ક્લેઇમ ડિસ્ચાર્જ વાઉચર રજૂ કરતા તેમાંથી 87 હજાર 481 ચૂકવી આપવામાં આવ્યાં હતાં જ્યારે 18,106 ની કપાત કરવામાં આવી હતી. જેમાંથી 1600 રુપિયાના મેડિકલ આઈટમ, 1500 રૂપિયા સર્જન ચાર્જના કાપવામાં આવ્યાં હતા.

અમદાવાદ ગ્રાહક કોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે
કોર્ટે શું આદેશ કર્યો?કોર્ટે આ મુદ્દે સુનાવણી કરતા જણાવ્યું હતું કે રિઝનેબલ એન્ડ કસ્ટમરી ચાર્જીસનું ધોરણ શું હોય છે તે અંગે ઇન્સ્યોરન્સ કંપની તરફથી કોઈ અસરકારક પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. તેથી ફરિયાદી 15000 રૂપિયા મેળવવા હકદાર છે. કોર્ટે ઈન્સ્યોરન્સ કંપનીને રૂપિયા 15 હજાર 7 ટકા વ્યાજ સાથે ગ્રાહકને આપવા માટે આદેશ કર્યો હતો. તેમજ ફરિયાદીને થયેલ માનસિક ત્રાસ અને હાડમારી તથા અરજીના ખર્ચ પેટે રૂપિયા 2000 ચૂકવી આપવા માટે પણ આદેશ કર્યો છે.
Last Updated :Aug 13, 2021, 8:44 AM IST

ABOUT THE AUTHOR

...view details