ગુજરાત

gujarat

Share Market India: છેલ્લા દિવસે મજબૂતી સાથે બંધ થયું શેરબજાર

By

Published : Jun 24, 2022, 3:40 PM IST

Updated : Jun 24, 2022, 3:52 PM IST

Share Market India: છેલ્લા દિવસે મજબૂતી સાથે બંધ થયું શેરબજાર

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 462.26 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 142.60 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયો છે.

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 462.26 પોઈન્ટ (0.88 ટકા)ના ઉછાળા સાથે 52,727.98ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 142.60 પોઈન્ટ (0.92 ટકા)ની મજબૂતી સાથે 15,699.25ના સ્તર પર બંધ થયો છે.

નિષ્ણાતોના મતે - ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝ ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અઠવાડિયે મજબૂત વેચવાલી પછી બજાર કેટલાક નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજી પણ ઉપર નબળાઈ છે. અસ્થિરતા વધી છે. કારણ કે, બજારમાં અનિશ્ચિતતા, મૂંઝવણ અને દિશાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઑટો અને FMCG માટે કોમોડિટી અને મેટલના ભાવમાં કડાકો પોઝિટિવ છે. અમે આશા રાખીએ છીએ કે, આ બંને કાઉન્ટર આવતા અઠવાડિયે થોડી ખરીદી જોવા મળશે. ક્રૂડના ભાવમાં તીવ્ર ઘટાડો પણ સેન્ટિમેન્ટને વેગ આપશે. અમે ટ્રેડર્સને તીવ્ર અસ્થિરતાથી સાવધ રહેવા અને આગળ જતા હળવી પોઝિશન રાખવાનું સૂચન કરીએ છીએ.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -એમ એન્ડ એમ (M&M) 4.42 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 3.27 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.62 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 2.49 ટકા, એચયુએલ (HUL) 2.32 ટકા.

આ પણ વાંચો-જો તમારે ઓછા વ્યાજ દરે લોન જોઈતી હોય તો, ઉચ્ચ ક્રેડિટ સ્કોર જાળવવો જરૂરી, જાણો કેવી રીતે

સૌથી વધુ ગગડેલા શેર્સ -ટેક મહિન્દ્રા (Tech Mahindra) -1.05 ટકા, ઈન્ફોસિસ (Infosys) 0.76 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -0.56 ટકા, કૉલ ઈન્ડિયા (Coal India) -0.48 ટકા, ટીસીએસ (TCS) -0.42 ટકા.

આ પણ વાંચો-શા માટે સરકારે બંધ કરી? ટેક્સટાઈલ માટે આશીર્વાદરૂપ ગણાતી ટફની યોજના

અમેરિકામાં મંદીની અસર ભારત પર પડી શકે છે - આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં સામાન્ય મંદી જોવા મળી શકે છે. તેાના કારણે ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ ફુગાવાને કન્ટ્રોલમાં રાખવા માટે વ્યાજદર વધારવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, આ અનુમાન છે. જોકે, આ રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે, જો વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં ઘટાડો આવે છે તો, મીડિયમ ટર્મમાં તેની અસર ભારત પર પડી શકે છે.

Last Updated :Jun 24, 2022, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details