નવી દિલ્હી:SBI લાઇફ સહિતની કેટલીક વીમા કંપનીઓએ સોમવારે ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોને તાત્કાલિક નાણાકીય રાહત આપવા માટેના દાવાની અગ્રતા પતાવટની જાહેરાત કરી હતી. જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલના ચેરમેન તપન સિંઘલે જણાવ્યું હતું કે, “અમારા સમુદાયના પુનઃનિર્માણને ટેકો આપવા માટે એક ઉદ્યોગ તરીકે, અમે ગ્રાહકો અથવા તેમના પરિવારના સભ્યો માટે વીમા કંપનીઓને ઍક્સેસ કરવાનું સરળ બનાવવા માટે એક સમર્પિત હેલ્પલાઈન અને ડિજિટલ ક્ષમતાઓ બનાવી છે.
પ્રક્રિયા સરળ બનાવવા વિશેષ ટીમોની રચના:સિંઘલ બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર પણ છે. તેમણે કહ્યું કે વીમા કંપનીઓએ આવા દાવાઓને ઝડપી બનાવવા અને પોલિસીધારકો માટે દાવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે વિશેષ ટીમોની રચના કરી છે. બાલાસોરમાં શુક્રવારે રાત્રે થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા. જ્યારે એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ પીડિતોના પરિવારોને રાહત આપવા માટે વીમા કંપનીઓએ આ પહેલ કરી છે.