ગુજરાત

gujarat

Indigo cuts flights: ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટની સંખ્યા ઘટાડી, કંપની નહીં લે રિશિડ્યુલિંગ ફી

By

Published : Jan 10, 2022, 3:27 PM IST

Indigo cuts flights: ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટની સંખ્યા ઘટાડી, કંપની નહીં લે રિશિડ્યુલિંગ ફી

જો તમે પણ ઈન્ડિગો એરલાઈન્સથી ફ્લાઈટ બુક કરી છે તો ધ્યાન આપજો. કોરોનાના વધતા કેસના કારણે ઈન્ડિગો એરલાઈન્સે પોતાની ફ્લાઈટ્સની સંખ્યામાં (Indigo cuts flights) 20 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત (Decline in Indigo flight due to Corona) કરી છે. કંપનીએ 31 માર્ચ સુધી રિશિડ્યુલિંગ ફી (Indigo flight rescheduling fee) ન લેવાની સુવિધા આપી છે.

નવી દિલ્હીઃ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી ઈન્ડિગો (Decline in Indigo flight due to Corona) એરલાઈન્સે પોતાની ફ્લાઈટ્સમાં 20 ટકાનો (Indigo cuts flights) ઘટાડો કર્યો છે. ઈન્ડિગોનું કહેવું છે કે, અનેક રાજ્યોમાં લૉકડાઉન અને કોરોનાની ત્રીજી લહેરના કારણે પ્રવાસી પોતાની ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છે. કંપનીએ ફ્લાઈટની સંખ્યામાં પણ (Indigo cuts flights) ઘટાડો કર્યો છે.

આ પણ વાંચો-Debt Reduction Plan : માથે ન રાખો દેવું, લોનથી મુક્તિ માટે આ રીતે કરો આયોજન

રિશિડ્યુલિંગ અંગે કંપનીની સ્પષ્ટતા

જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, જે 31 જાન્યુઆરી સુધી ટિકિટ બુક કરતા પેસેન્જર્સ ટ્રાવેલ ડેટને બદલવા માગે છે તેમણે રિશિડ્યુલિંગ ફી (Indigo flight rescheduling fee) નહીં આપવી પડે. આવા પ્રવાસીઓ માટે ચેન્જ ફી 31 માર્ચ સુધી માફ કરવામાં આવી છે. પ્રવાસી વેબસાઈટ પર જઈને પ્લાન બીના ઉપયોગના માધ્યમથી ટ્રાવેલ ડેટ રિશિડ્યુલ કરી શકશે.

આ પણ વાંચો-Higher Return on Investment : શેમાં રોકાણ કરવાથી વધુ વળતર મળશે? નિષ્ણાતો પાસેથી જાણો

જે રાજ્યમાં કોરોનાના કેસ સૌથી વધુ છે ત્યાંની ફ્લાઈટ રદ

આ અંગે મળતી માહિતી અનુસાર, કંપનીએ પશ્ચિમ બંગાળ, દિલ્હી અને મુંબઈના રૂટ પર ફ્લાઈટ રદ કરી છે. કારણ કે, તે રાજ્યોમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. ઈન્ડિગો તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભલે ફ્લાઈટની સંખ્યા ઘટાડવામાં (Decline in Indigo flight due to Corona) આવી છે, પરંતુ ફ્લાઈટ ઓછામાં ઓછા 72 કલાક પહેલ રદ કરવામાં આવશે. તો આ તરફ સ્પાઈસ જેટે પણ પોતાના પ્રવાસીઓની રિશિડ્યુલિંગ ફી માફ (Spicejet rescheduling fee) કરવાની જાહેરાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details