ગુજરાત

gujarat

જો અનુરાધ કરવામાં આવશે તો પૂનાવાલાને સુરક્ષા આપવામાં આવશે: Maharashtra government

By

Published : Jun 11, 2021, 8:19 PM IST

મહારાષ્ટ્ર સરકારે મુંબઇ હાઇકોર્ટને જણાવ્યું છે કે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇંડિયાના સીઇઓ અદાર પૂનાવાલાની તરફથી જો સુરક્ષા આપવા માટે કહેવામાં આવશે તો તેમને સુરક્ષા આપવામાં આવશે. કોર્ટ વધુ સુરક્ષા આપવા માટેની માંગ કરતી જાહેરહિતની અરજી રદ્દ કરી દીધી છે.

જો અનુરાધ કરવામાં આવશે તો પૂનાવાલાને સુરક્ષા આપવામાં આવશે
જો અનુરાધ કરવામાં આવશે તો પૂનાવાલાને સુરક્ષા આપવામાં આવશે

  • પૂનાવાલા માંગશે તો સુરક્ષા અપાશે
  • મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટમાં આપ્યું નિવેદન
  • કોર્ટે રદ્દ કરી સુરક્ષાની અરજી

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે(Maharashtra government) શુક્રવારે મુંબઇ હાઇકોર્ટને જણાવ્યું છે કે જો કોવિડ-19ની રસી બનાવતી કોવિશિલ્ડ નિર્માતા કંપની સીરમ ઇંસ્ટિટ્યૂટના(Serum Institute of India) સીઇઓ અદાર પૂનાવાલા જો સુરક્ષા આપવા માટે અનુરોધ કરશે તો તેમને સુરક્ષા આપવા માટે તૈયાર છે. સરકારે નિવેદન આપ્યા બાદ હાઇકોર્ટે પૂનાવાલાને વધુ સારી સુરક્ષા આપવાની માંગ કરતી જાહેર હિતની અરજી રદ્દ કરી દીધી હતી.

એડવોકેટ દત્તાએ કરી હતી અરજી

પૂનાવાલાને(Poona walla) કેન્દ્ર સરકાર તરફથી પહેલાં જ CRPFની Y શ્રેણીની સુરક્ષા મળી છે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે રસી માટે તેમને અનેક ધમકીઓ મળી રહી છે. જે બાદ એડવોકેટ દત્તાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પૂનાવાલાને ઝેટ-પ્લસ સુરક્ષા આપે. સરકારી વકિલ દીપક ઠાકરેએ ન્યાયમૂર્તિ એસ.એસ.શિંદે અને ન્યાયમૂર્તિ એન.જે.જામદારની ખંડપીઠને જણાવ્યું છે કે જો પૂનાવાલા ઇચ્છે તો રાજ્યસરકાર તેમને પૂરતી સુરક્ષા આપશે.

લોકોની વાતો પર આદેશ જાહેર ન કરી શકાય

અદાલતે જણાવ્યું છે કે હવે આવી અરજીઓ પર સુનવણી કરી શકાશે નહીં. નિવેદનોને ધ્યાનમાં રાખીએ તો આ અરજીનો નિકાલ થતો રહેશે. કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે આ અંગત મામલો છે કે જો પૂનાવાલા કહે કે જો તેમને સુરક્ષા નથી જોઇતી કે તેઓને કોઇ ડર નથી. તો અમે લોકોની વાતો પરથીઆદેશ જાહેર ન કરી શકીએ.

આ પણ વાંચો:

અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

આદર પૂનાવાલા રસી માટે મળતી ધમકીઓના કારણે પહોંચ્યા લંડન

ABOUT THE AUTHOR

...view details