- પ્રધાનમંડળના વિસ્તરણ બાદ અનુરાગ ઠાકુર માહિતી અને પ્રસારણ પ્રધાન
- તો અમિત શાહને સહકાર મંત્રાલયનો હવાલો સોંપાયો
- અશ્વિની વૈષ્ણવને રેલવે પ્રધાન
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની કેબિનેટના વિસ્તરણ બાદ અનુરાગ ઠાકુરને સૂચના અને પ્રસારણ પ્રધાન (Minister of Information and Broadcasting) બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયને પોતાની પાસે રાખ્યું છે. તો બીજી તરફ અમિત શાહને સહકાર મંત્રાલયનો હવાલો સોંપાયો છે. અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav)ને રેલવે પ્રધાન બનાવવામાં આવ્યા છે. નારાયણ રાણેને માઇક્રો, લઘુ, મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
પશુપતિ કુમાર પારસ (Pashupati Kumar Paras)ને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ પ્રધાન (Minister of Food Processing Industry)બનાવવામાં આવ્યા છે. તો પ્રહલાદ જોશીને કોલસા અને ખનન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. રામચંદ્ર પ્રસાદ સિંહ (Ramchandra Prasad Singh)ને સ્ટીલ પ્રધાન બનાવવામાં આવ્યા છે. કિરણ રિજિજૂ (Kiran Rijiju)ને કાનૂન પ્રધાન બનાવવામાં આવ્યા છે. રાજ કુમાર સિંહને ઉર્જા, નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયની જવાબદારી મળી છે. ભૂપેન્દ્ર યાદવને શ્રમ પ્રધાન બનાવવામાં આવ્યા છે.
- નિર્મલા સીતારમણ
નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન હશે
- રાજનાથ સિંહ
રક્ષા મંત્રાલય
- સર્વાનંદ સોનોવાલ
સોનેવાલને બંદરગાહ, જહાજરાની અને જળમાર્ગ અને આયુષ મંત્રાલયનો કાર્યભાર મળ્યો
- હરદીપ સિંહ પુરી
પેટ્રોલિયમ પ્રધાન
આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય
- સ્મૃતિ ઈરાની
મહિલા તેમજ બાળ વિકાસ કલ્યાણ મંત્રાલય
સ્વચ્છ ભારત મિશન
- ધર્મેન્દ્ર પ્રધાન
શિક્ષા મંત્રાલય, કૌશલ વિકાસ મંત્રાલય, ઉદ્યમિતા મંત્રાલય
- જ્યોતિરાદિત્ય સિંધિયા
નાગરિક ઉડ્ડયન મંત્રાલય
- અનુરાગ ઠાકુર
રમત-ગમત પ્રધાન
સૂચના અને પ્રસારણ પ્રધાન
- મિનાક્ષી લેખી
વિદેશ રાજ્ય પ્રધાન
- પુરૂષોત્તમ રૂપાલા
મત્સ્યોદ્યોગ અને દૂધ વિકાસ મંત્રાલય
- પીયૂષ ગોયલ