ગુજરાત

gujarat

TOP NEWS: કોંગ્રેસ 20 નવેમ્બરે દેશભરમાં કિસાન વિજય દિવસની ઉજવણી કરશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Nov 20, 2021, 6:00 AM IST

TOP NEWS: કોંગ્રેસ 20 નવેમ્બરે દેશભરમાં કિસાન વિજય દિવસની ઉજવણી કરશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

કોંગ્રેસ 20 નવેમ્બરે દેશભરમાં કિસાન વિજય દિવસની ઉજવણી કરશે

કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ 20 નવેમ્બરે કિસાન વિજય દિવસની ઉજવણી કરશે, દેશભરમાં રેલીઓ કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં

આજે રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PRIME MINISTER NARENDRA MODI) કહ્યું કે, દેશના નાના ખેડૂતોના પડકારોને પહોંચી વળવા અમે બિયારણ, વીમો, બજાર અને બચત પર સર્વાંગી કામ કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પરત (Three agricultural laws were withdrawn) લઈ રહી છે. રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ પર્વ અને કાર્તિક પૂર્ણિમાના અવસર પર ત્રણ નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ મહિનાના અંત સુધીમાં ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા શરૂ કરશે. સંપૂર્ણ સમાચાર વાંચો... click here

2RAKESH TIKAIT EXCLUSIVE INTERVIEW: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય

કેન્દ્રની મોદી સરકારના (Prime Minister Modi) ત્રણ કૃષિ કાયદા (repeal farm law) પાછા ખેંચાયા છતાં ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે. સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોનું આંદોલન ચાલુ રાખવાની જાહેરાત (Announcement of Rakesh Tikait) કરી છે. click here

3Atmanirbhar Gram Yatra: ગુજરાતમાં ભાજપ "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" થકી ચૂંટણી મોડમાં આવી

ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) આવી રહી છે, તે પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે. જે અગાઉ ભાજપ દ્વારા દરેક જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા (Atmanirbhar Gram Yatra )નું આયોજન કરાયું છે. ભાજપ રણનીતિ નક્કી કરીને આવી યાત્રા ગોઠવીને લોકસંપર્ક કરી રહી છે, તેનો ફાયદો તેને ચૂંટણીમાં મળી રહે છે. click here

  • Explainer

Repeal Farm Law: જાણો શું છે કૃષિ કાયદાઓ, જેના પર સરકાર અને ખેડૂતો હતા આમને-સામને

કૃષિ કાયદા બનવાથી લઈને પાછા ખેંચવા સુધી, દિલ્હીને ઘેરવાથી લઈને ટ્રેક્ટર રેલી સુધી, જાણો ક્યારે શું થયું click here

ABOUT THE AUTHOR

...view details