RAKESH TIKAIT EXCLUSIVE INTERVIEW: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય

author img

By

Published : Nov 19, 2021, 11:31 AM IST

Updated : Nov 19, 2021, 1:48 PM IST

RAKESH TIKAIT REACTION ON REPEAL FARM LAWS

કેન્દ્રની મોદી સરકારના (Prime Minister Modi) ત્રણ કૃષિ કાયદા (repeal farm law) પાછા ખેંચાયા છતાં ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે. સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોનું આંદોલન ચાલુ રાખવાની જાહેરાત (Announcement of Rakesh Tikait) કરી છે.

  • સરકારના ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાયા
  • રાકેશ ટિકૈતે ખેડૂતોનું આંદોલન ચાલુ રહેવાની કરી જાહેરાત
  • સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે: રાકેશ ટિકૈત

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવા (repeal farm law) છતાં ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે. સંયુક્ત કિસાન મોરચાના (sanyukt kisan morcha) નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોનું આંદોલન ચાલુ (Announcement of Rakesh Tikait) રાખવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. રાકેશ ટિકૈતે સ્પષ્ટ કર્યું કે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ વાત કરવી જોઈએ. "આંદોલન તાત્કાલિક પાછું ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે," તેમણે કહ્યું કે, MSPની સાથે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ.

ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય: રાકેશ ટિકૈત

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીમાં 6250 કરોડથી વધુના ખર્ચના અનેક પ્રોજેક્ટ શરૂ કરશે

સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ ખેડૂત વિરોધી કાયદાને રદ્દ કરવાના વડાપ્રધાનના નિર્ણયને આવકાર્યો

અગાઉ કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત (repeal farm law) કરી હતી. વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) પોતાના ભાષણમાં MSPને મજબૂત કરવાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ આ અંગે કાયદો બનાવવા અંગે કોઈ સ્પષ્ટ વાત કરી ન હતી. બીજી તરફ સંયુક્ત કિસાન મોરચાએ (sanyukt kisan morcha) ત્રણ ખેડૂત વિરોધી કાયદાને રદ્દ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને આવકાર્યો છે. અમે સંસદીય પ્રક્રિયા દ્વારા ઘોષણા લાગુ થવાની રાહ જોઈશું. જો આમ થશે તો તે ભારતમાં એક વર્ષના ખેડૂત સંઘર્ષની ઐતિહાસિક જીત હશે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં

ખેડૂતોએ હાલ સરહદ પર જ રહેવાનો નિર્ણય કર્યો

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા લાગુ કર્યા હતા. પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ તેમનો વિરોધ કરીને આંદોલન શરૂ કર્યું અને દિલ્હીની સિંઘુ અને ટિકરી બોર્ડર પર એક વર્ષ સુધી આંદોલન (The farmers movement will continue) ચાલુ રાખ્યું હતું. ખેડૂતોએ હાલ સરહદ પર જ રહેવાનો નિર્ણય (Announcement of Rakesh Tikait) કર્યો છે.

Last Updated :Nov 19, 2021, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.