ગુજરાત

gujarat

ભગવાન રામ 'માંસાહારી' હોવાની ટિપ્પણી કરનાર આવ્હાદ વિરુદ્ધ વધુ ત્રણ FIR દાખલ

By ANI

Published : Jan 7, 2024, 12:05 PM IST

મુંબઈમાં પોલીસે આવ્હાદ સામે બે કેસ નોંધ્યા હતા જ્યારે બીજો કેસ થાણે જિલ્લાના નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તે પહેલા પુણે સિટી પોલીસે આવ્હાદ વિરુદ્ધ FIR નોંધી હતી.

Etv Bharat
Etv Bharat

મુંબઈ : 'ભગવાન રામ માંસાહારી છે' એવી ટિપ્પણી કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાદ વિરુદ્ધ મુંબઈ અને પાલઘર જિલ્લામાં ત્રણ FIR નોંધવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. આવ્હાદ, NCPના શરદ પવાર જૂથનો એક ભાગ છે, થાણે જિલ્લાના મુંબ્રા-કાલવા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. મહારાષ્ટ્રના મંત્રી રહેલા અવ્હાદની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના અધિકારી ગૌતમ રાવરિયાની ફરિયાદ પર શુક્રવારે રાત્રે (મુંબઈમાં) MIDC પોલીસ સ્ટેશનમાં આવ્હાદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

નિવેદન પછી કેસ નોંધવામા આવ્યા : ફરિયાદીએ કહ્યું કે તેણે એક ન્યૂઝ ચેનલ પર અવ્હાદને ભગવાન રામ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરતા સાંભળ્યા હતા. તેમણે કહ્યું કે આવ્હાદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295A (કોઈપણ ધર્મ અથવા ધાર્મિક આસ્થાનું અપમાન કરીને કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ભડકાવવાના હેતુથી ઈરાદાપૂર્વકનું અને દૂષિત કૃત્ય) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ભાજપના ધારાસભ્ય રામ કદમની ફરિયાદ પર શનિવારે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં સમાન આરોપો પર બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ, સ્થાનિક વેપારીની ફરિયાદ પર થાણેના નવઘર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

નિવેદન પછી લોકોની ભાવનાને ઠેસ પહોચી હતી : આવ્હાદે 3 જાન્યુઆરીએ ભગવાન રામને માંસાહારી હોવાનું કહીને વિવાદ સર્જ્યો હતો. બુધવારે શિરડીમાં એનસીપીના એક કાર્યક્રમમાં અવહાદે કહ્યું હતું કે તે (ભગવાન રામ) શિકાર કરીને ખાતા હતા. તે આપણા, બહુજનનો છે. તમે (ભાજપ) અમને શાકાહારી બનાવી રહ્યા છો, (પણ) અમે રામને અનુસરીને 'મટન' ખાઈએ છીએ. 'બહુજન' શબ્દ પરંપરાગત રીતે મહારાષ્ટ્રમાં હિંદુ સમાજના બિન-બ્રાહ્મણ વર્ગો માટે વપરાય છે. ધારાસભ્ય આવ્હાદે બાદમાં કહ્યું કે જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તેઓ દિલગીર છે. પરંતુ તેણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું ન હતું.

મહારાષ્ટ્રમાં ફરિયાદો દાખલ થઇ : પુણેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્ય એકમના વડા ધીરજ ઘાટેની ફરિયાદ પર આવ્હાદ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. થાણેથી પ્રાપ્ત સમાચાર અનુસાર, થાણે અને રાયગઢ જિલ્લાના વારકારી મંડળ દ્વારા અંબરનાથ સ્થિત શ્રી મલંગગઢ પહાડીની તળેટીમાં 'હરિનામ સપ્તાહ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. હરિનામ કાર્યક્રમના માર્ગદર્શક આચાર્ય પ્રહલાદ મહારાજ શાસ્ત્રીએ સમગ્ર વારકરી સંપ્રદાય વતી આવ્હાડના નિવેદનની નિંદા કરી હતી.

  1. Bangladesh Election 2024 : શેખ હસીનાએ મતદાનના દિવસે ભારતના કર્યા વખાણ, મુક્તિ સંગ્રામને પણ કર્યો યાદ
  2. Ramlala Pran Pratistha : રામ ભક્તોને રામલ્લાના દર્શન કરવામાં લાગી શકે હજી વાર

ABOUT THE AUTHOR

...view details