ગુજરાત

gujarat

જાણો, કોરોના વાયરસના કયા બે નવા વેરિઅન્ટ છે ખતરનાક

By

Published : Sep 2, 2021, 10:37 PM IST

સરકારના જણાવ્યા મુજબ દેશમાં બીજી લહેર હજુ ચાલી રહી છે, જ્યારે ઘણા નિષ્ણાતો આગામી દિવસોમાં દેશમાં ત્રીજી લહેરનો દાવો કરી રહ્યા છે. દરમિયાન, વિશ્વના વિવિધ ખૂણાઓમાં કોરોનાના નવા પ્રકારો ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે. કયા છે એ બે વેરિઅન્ટ જેણે વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ ડરાવી દીધી છે. કયા છે એ બે વેરિઅન્ટ, શા માટે ડરવાની વાત છે? અને તેની ભારત પર શું અસર થશે? જાણવા માટે વાંચો ETV Bharat એક્સપ્લેનર (etv bharat explainer)

કોરોના વાયરસના કયા બે નવા વેરિઅન્ટ છે ખતરનાક
કોરોના વાયરસના કયા બે નવા વેરિઅન્ટ છે ખતરનાક

  • વિશ્વભરમાં જોરશોરથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે
  • વિશ્વભરમાં B.1.621 વેરિઅન્ટના લગભગ 4 હજાર કેસ પણ નોંધાયા છે
  • નિષ્ણાતો કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપે છે

હૈદરાબાદ: છેલ્લા બે વર્ષથી વિશ્વ કોવિડ -19 મહામારી સામે લડી રહ્યું છે. આને દૂર કરવા માટે વિશ્વભરમાં જોરશોરથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ આ દરમિયાન, કોરોનાના નવા-નવા વેરિઅન્ટ મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. જેમની સાથે નવી આશંકાઓ ખતરાની ઘંટડી વગાડી રહી છે. આવા કેટલાક વેરિઅન્ટે આ દિવસોમાં દુનિયાની ઉંઘ ઉડાવી છે.

સી.1.2(c.1.2) વેરિઅન્ટ

થોડા દિવસો પહેલા સુધી વૈજ્ઞાનિકો કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને સૌથી સંક્રામક અને ખતરનાક ગણાવી રહ્યા હતા. દરમિયાન, સંશોધનમાં વૈજ્ઞાનિકોએ એક વેરિઅન્ટ વિશે માહિતી આપી છે જે ડેલ્ટા કરતાં વધુ ઘાતક હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો કોરોનાના આ નવા વેરિઅન્ટ C.1.2 ને મોટો પડકાર ગણાવી રહ્યા છે.

નવા વેરિઅન્ટે વધારી દુનિયાની ચિંતા

દક્ષિણ આફ્રિકામાં પ્રથમ લહેર દરમિયાન મળેલા C.1 કરતાં વધુ મ્યુટેંટ થયું છે

સાઉથ આફ્રિકા સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ અને ક્વાઝુલુ નેટલ રિસર્ચ ઇનોવેશન એન્ડ સિક્વન્સિંગ પ્લેટફોર્મના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ C.1.2, આ વર્ષે મે મહિનામાં પ્રથમ વખત મળી આવ્યું હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઓગસ્ટના મધ્ય સુધીમાં આ વેરિઅન્ટ ચીન, કોંગો, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળ્યું છે. તેમાં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ લહેર દરમિયાન મળેલા C.1 કરતાં વધુ મ્યુટેંટ થયું છે.

ડરાવી રહ્યું છે વેરિઅન્ટ c.1.2

  • જે રીતે આ વેરિઅન્ટનું ટ્રાન્સમિશન વધારે છે, તે પણ ઝડપથી ફેલાય તેવી શક્યતા છે.
  • આ વેરિઅન્ટ સંક્રમણ પછી બનાવેલા એન્ટી બોડીને પણ ડોજ કરી શકે છે. જેનો અર્થ એ છે કે એકવાર સંક્રમિત થયા પછી, શરીરમાં એન્ડી બોડી બન્યા પછી પણ કોરોના સંક્રમિત થવાની ઘણી સંભાવના છે.
  • અભ્યાસ દરમિયાન, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ કે, C.1.2 વેરિઅન્ટ રસીકરણ દ્વારા બનાવેલી શરીરની રોગપ્રતિકારક શક્તિને સરળતાથી હરાવી શકે છે. જે બાદ દુનિયાનો દરેક વ્યક્તિ ફરી એકવાર કોરોના સંક્રમણના ખતરામાં છે.
  • આ વેરિઅન્ટ પરિવર્તનની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખતરનાક હોવાનું કહેવાય છે. અભ્યાસ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે, આ વેરિઅન્ટ ઝડપથી મ્યુટેંટ એટલે કે રૂપ બદલી શકે છે.
  • કોરોનાના અન્ય પ્રકારો કરતાં વધુ ઝડપી પરિવર્તનશીલ હોવાના કારણે, વૈજ્ઞાનિકો તેના રક્ષણની પદ્ધતિઓને મુશ્કેલ માને છે.
  • સંશોધકોના જણાવ્યા અનુસાર, આ વેરિઅન્ટથી સંક્રમિત લોકોને વહેતું નાક, સતત ઉધરસ, ગળામાં દુખાવો અને શરીરમાં દુખાવો, તાવ, સ્નાયુઓમાં ખેંચાણ, સ્વાદ અને ગંધ ગુમાવવી, આંખો લાલ થવી, પેટ ખરાબ થવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. ફેફસા પર આ વેરિઅન્ટની અસર અંગે અભ્યાસ ચાલી રહ્યો છે.
    વાયરસમાં સતત થઇ રહ્યું છે મ્યૂટેશન

બી.1.621( B.1.621 અથવા Mu) વેરિઅન્ટ

કોરોના વાયરસના B.1.621 વેરિઅન્ટને 'Mu' નામ પણ આપવામાં આવ્યું છે. જે જાન્યુઆરીમાં કોલંબિયામાં પ્રથમ વખત મળી હતી અને અત્યાર સુધી વિશ્વના 40થી વધુ દેશોમાં મળી આવી છે. વિશ્વભરમાં આ વેરિઅન્ટના લગભગ 4 હજાર કેસ પણ નોંધાયા છે. WHO અનુસાર, આ વેરિઅન્ટ રસીને નિષ્ક્રિય કરી શકે છે અને વધુ સંક્રમિત પણ હોઈ શકે છે. WHO આ વાયરસ પર નજર રાખી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (world health organisation) અનુસાર, આ વેરિઅન્ટમાં પરિવર્તનો છે જે કોરોના રસીની અસરને ઘટાડી શકે છે, એટલે કે, રસીકરણ કર્યા પછી પણ તેની ખરાબ અસર પડી શકે છે.

શું વેક્સિન પર પણ ભારે પડશે કોરોના વેરિઅન્ટ

પરિવર્તનના કારણે વાયરસ ખતરનાક બની રહ્યો છે

વાયરસ સતત તેનો સ્વભાવ અને રૂપમાં ફેરફાર કરે છે, આ ફેરફારને પરિવર્તન કહેવામાં આવે છે. વાયરસમાં આ ફેરફાર સતત થતો રહે છે, કેટલીકવાર આ ફેરફારના કારણે વાયરસ વધુ સંક્રામક બને છે અને ઝડપથી ફેલાવા લાગે છે. વાયરસનું આ બદલાયેલ સ્વરૂપ નવા વેરિઅન્ટના રૂપમાં સામે આવે છે.

દુનિયામાં કોરોનાના લગભગ 300 વેરિઅન્ટ

WHO હાલમાં કોરોના વાયરસના પરિવર્તનો અને વેરિઅન્ટ પર નજર રાખી રહ્યું છે. અત્યાર સુધીમાં ડેલ્ટા, આલ્ફા, બીટા, ગામા, લેમ્બડા, કપ્પા વેરિઅન્ટ્સ સહિત વિશ્વભરમાં કોરોનાના 300થી વધુ વેરિઅન્ટ મળી આવ્યા છે. આમાંથી, સૌથી સંક્રામક ડેલ્ટા વેરિઅન્ટ અત્યાર સુધી રહ્યું છે, જે હજુ પણ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલું છે.

કોરોના વેરિઅન્ટ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નજર

ભારત અને કોરોનાના નવા વેરિઅન્ટ

ખરેખર, ભારતમાં કોવિડ -19 ની ત્રીજી લહેરની સંભાવના છે. બીજી લહેર ઓછી થતા પ્રતિબંધોમાં છૂટછાટના કારણે બજાર અને રસ્તા પર ભીડ છે, ઓફિસો, શાળાઓ અને તમામ વ્યવસાયો ખુલી ગયા છે. આવી સ્થિતિમાં, કોવિડ -19 નિયમોની અવગણના કરવી હિતાવહ છે. આવી સ્થિતિમાં આ નવું વેરિઅન્ટ ભારત માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

મહારાષ્ટ્ર કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો.સંજય ઓકેએ એમ પણ કહ્યું હતું કે, કોરોના સામે રસી આપવામાં આવેલા નાગરિકો પણ નવા C.1.2 વેરિઅન્ટથી સંક્રમિત થઇ શકે છે. તેમણે કહ્યું કે, અમને હજુ સુધી ખબર નથી કે આ વાયરસ કેટલો ખતરનાક છે અને તે કેટલો ફેલાઈ શકે છે, પરંતુ રસીકરણ કરાયેલા નાગરિકો પણ વેરિઅન્ટથી સંક્રમિત થઇ શકે છે.

જો કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો.અવિનાશ ભોંડાવેના જણાવ્યા મુજબ, C.1.2 વેરિઅન્ટ હજુ વ્યાપક નથી. હાલમાં, ઉપલબ્ધ રસી કોઈપણ રીતે 60 ટકા સુરક્ષા પૂરી પાડે છે. ભારતમાં આ વેરિઅન્ટનો એક પણ કેસ અત્યાર સુધી નોંધાયો નથી, તેથી ડરવા જેવું કંઈ નથી, પરંતુ કોઈ પણ સંજોગોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.

વૈજ્ઞાનિકોના મતે રસીના બન્ને ડોઝ લેનારને સંક્રમિત થવાનો ડર ઓછો

સાવધાની અને વેક્સિનેશન છે જરૂરી

B.1.621 હોય કે C.1.2 અથવા કોરોનાનું નવું વેરિઅન્ટ, ભલે એવું કહેવામાં આવી રહ્યું હોય કે તે સંક્રામક અથવા વધુ ખતરનાક છે, અથવા આ વેરિઅન્ટ વિશ્વના ઘણા દેશોમાં મળ્યા નથી, પરંતુ હજુ પણ નિષ્ણાતો કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપે છે. માસ્ક પહેરવાથી લઈને સામાજિક અંતર અપનાવવા અને હાથ ધોવા સુધી, બિનજરૂરી ભીડમાં ન જવાની નિષ્ણાતો સલાહ આપે છે. ભલે આ વેરિઅન્ટ્સ પર રસીની કોઈ અસર નહીં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ નિષ્ણાતો માને છે કે, રસીકરણ ખૂબ મહત્વનું છે. જે લોકોએ રસીના બન્ને ડોઝ લીધા છે, તેમાં જોખમ અન્ય કરતા ઓછું હોઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details