- વિશ્વભરમાં જોરશોરથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે
- વિશ્વભરમાં B.1.621 વેરિઅન્ટના લગભગ 4 હજાર કેસ પણ નોંધાયા છે
- નિષ્ણાતો કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપે છે
હૈદરાબાદ: છેલ્લા બે વર્ષથી વિશ્વ કોવિડ -19 મહામારી સામે લડી રહ્યું છે. આને દૂર કરવા માટે વિશ્વભરમાં જોરશોરથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ આ દરમિયાન, કોરોનાના નવા-નવા વેરિઅન્ટ મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. જેમની સાથે નવી આશંકાઓ ખતરાની ઘંટડી વગાડી રહી છે. આવા કેટલાક વેરિઅન્ટે આ દિવસોમાં દુનિયાની ઉંઘ ઉડાવી છે.
સી.1.2(c.1.2) વેરિઅન્ટ
થોડા દિવસો પહેલા સુધી વૈજ્ઞાનિકો કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને સૌથી સંક્રામક અને ખતરનાક ગણાવી રહ્યા હતા. દરમિયાન, સંશોધનમાં વૈજ્ઞાનિકોએ એક વેરિઅન્ટ વિશે માહિતી આપી છે જે ડેલ્ટા કરતાં વધુ ઘાતક હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો કોરોનાના આ નવા વેરિઅન્ટ C.1.2 ને મોટો પડકાર ગણાવી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકામાં પ્રથમ લહેર દરમિયાન મળેલા C.1 કરતાં વધુ મ્યુટેંટ થયું છે
સાઉથ આફ્રિકા સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ અને ક્વાઝુલુ નેટલ રિસર્ચ ઇનોવેશન એન્ડ સિક્વન્સિંગ પ્લેટફોર્મના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ C.1.2, આ વર્ષે મે મહિનામાં પ્રથમ વખત મળી આવ્યું હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઓગસ્ટના મધ્ય સુધીમાં આ વેરિઅન્ટ ચીન, કોંગો, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળ્યું છે. તેમાં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ લહેર દરમિયાન મળેલા C.1 કરતાં વધુ મ્યુટેંટ થયું છે.
ડરાવી રહ્યું છે વેરિઅન્ટ c.1.2
- જે રીતે આ વેરિઅન્ટનું ટ્રાન્સમિશન વધારે છે, તે પણ ઝડપથી ફેલાય તેવી શક્યતા છે.
- આ વેરિઅન્ટ સંક્રમણ પછી બનાવેલા એન્ટી બોડીને પણ ડોજ કરી શકે છે. જેનો અર્થ એ છે કે એકવાર સંક્રમિત થયા પછી, શરીરમાં એન્ડી બોડી બન્યા પછી પણ કોરોના સંક્રમિત થવાની ઘણી સંભાવના છે.
- અભ્યાસ દરમિયાન, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ કે, C.1.2 વેરિઅન્ટ રસીકરણ દ્વારા બનાવેલી શરીરની રોગપ્રતિકારક શક્તિને સરળતાથી હરાવી શકે છે. જે બાદ દુનિયાનો દરેક વ્યક્તિ ફરી એકવાર કોરોના સંક્રમણના ખતરામાં છે.
- આ વેરિઅન્ટ પરિવર્તનની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખતરનાક હોવાનું કહેવાય છે. અભ્યાસ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે, આ વેરિઅન્ટ ઝડપથી મ્યુટેંટ એટલે કે રૂપ બદલી શકે છે.
- કોરોનાના અન્ય પ્રકારો કરતાં વધુ ઝડપી પરિવર્તનશીલ હોવાના કારણે, વૈજ્ઞાનિકો તેના રક્ષણની પદ્ધતિઓને મુશ્કેલ માને છે.
- સંશોધકોના જણાવ્યા અનુસાર, આ વેરિઅન્ટથી સંક્રમિત લોકોને વહેતું નાક, સતત ઉધરસ, ગળામાં દુખાવો અને શરીરમાં દુખાવો, તાવ, સ્નાયુઓમાં ખેંચાણ, સ્વાદ અને ગંધ ગુમાવવી, આંખો લાલ થવી, પેટ ખરાબ થવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. ફેફસા પર આ વેરિઅન્ટની અસર અંગે અભ્યાસ ચાલી રહ્યો છે.
બી.1.621( B.1.621 અથવા Mu) વેરિઅન્ટ
કોરોના વાયરસના B.1.621 વેરિઅન્ટને 'Mu' નામ પણ આપવામાં આવ્યું છે. જે જાન્યુઆરીમાં કોલંબિયામાં પ્રથમ વખત મળી હતી અને અત્યાર સુધી વિશ્વના 40થી વધુ દેશોમાં મળી આવી છે. વિશ્વભરમાં આ વેરિઅન્ટના લગભગ 4 હજાર કેસ પણ નોંધાયા છે. WHO અનુસાર, આ વેરિઅન્ટ રસીને નિષ્ક્રિય કરી શકે છે અને વધુ સંક્રમિત પણ હોઈ શકે છે. WHO આ વાયરસ પર નજર રાખી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (world health organisation) અનુસાર, આ વેરિઅન્ટમાં પરિવર્તનો છે જે કોરોના રસીની અસરને ઘટાડી શકે છે, એટલે કે, રસીકરણ કર્યા પછી પણ તેની ખરાબ અસર પડી શકે છે.
પરિવર્તનના કારણે વાયરસ ખતરનાક બની રહ્યો છે