ગુજરાત

gujarat

AP Fibernet Case : ફાઈબર નેટ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે ચંદ્રબાબુ નાયડુની જામીન પર સુનાવણી મુલતવી રાખી

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 10:33 PM IST

સુપ્રીમ કોર્ટે ફાઈબર નેટ કૌભાંડમાં આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ રાખી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ કેસમાં 20 ઓક્ટોબર સુધી ધરપકડ ન કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચંદ્રાબાબુ નાયડુને ખાતરી આપીને કામચલાઉ રાહત આપી છે.

AP Fibernet Case
AP Fibernet Case

આંધ્રપ્રદેશ: ફાઈબર નેટ કૌભાંડમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી મોકૂફ રાખી છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચંદ્રાબાબુ નાયડુને ખાતરી આપીને કામચલાઉ રાહત આપી છે. આથી તેઓ વિરુદ્ધ પ્રોડક્શન વોરંટ જારી થયા પછી પણ રાજ્ય અપરાધ તપાસ વિભાગ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવશે નહીં.

ચંદ્રબાબુ નાયડુની ધરપકડની શક્યતા: આ સંદર્ભે જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની ખંડપીઠે આંધ્રપ્રદેશ હાઇકોર્ટના આગોતરા જામીન આપતા પહેલા જ નામંજૂરીને પડકારતી ચંદ્રબાબુ નાયડુની વિશેષ મંજૂરી અરજીને ધ્યાનમાં રાખીને કાર્યવાહીની અધ્યક્ષતા કરી હતી. સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણી દરમિયાન ચંદ્રબાબુ નાયડુની ધરપકડની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી હતી ઉપરાંત આંધ્રપ્રદેશ પોલીસને કોઈપણ પગલાં લેવાથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.

FIR ને રદ કરવાની માંગ: વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કર્યું હતું કે,16 ઓક્ટોબરના રોજ ફાઇબરનેટ કૌભાંડ કેસના સંબંધમાં ચંદ્રબાબુ નાયડુને રજૂ કરવા માટે વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં તેમની પ્રારંભિક ધરપકડ પછી ચંદ્રબાબુ નાયડુ કાનૂની મુશ્કેલીઓના ચક્રમાં અટવાયા હોય તેવું લાગી રહ્યું છે. કોર્ટના અનુરોધ બાદ અપરાધ તપાસ વિભાગનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ ખાતરી આપી હતી કે 18 ઓક્ટોબર, બુધવાર સુધી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવશે નહીં. જોકે સમયની અછતને કારણે સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી અને આ વ્યવસ્થા શુક્રવાર 20 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ ફાઈબરનેટ કૌભાંડ કેસ ઉપરાંત કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં દાખલ કરાયેલ FIR ને રદ કરવાની માંગ કરતી ચંદ્રબાબુ નાયડુની અરજી પર પણ સુનાવણી કરી રહી છે.

શું છે આરોપ:તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ પર રાજ્યમાં TDP ના કાર્યકાળ દરમિયાન એપી ફાઇબરનેટ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. આંધ્રપ્રદેશ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે (CID) આરોપ મૂક્યો છે કે, ચંદ્રબાબુ નાયડુએ કથિત રીતે જરૂરી લાયકાતનો અભાવ હોવા છતાં ફાઈબર નેટ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલી ચોક્કસ કંપનીની તરફેણ કરવા માટે અધિકારીઓ પર અયોગ્ય દબાણ કર્યું હતું.

ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી:કૌશલ્ય વિકાસ કૌભાંડમાં ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ બાદ ફરિયાદ પક્ષે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 263 હેઠળ અરજી દાખલ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરી હતી. રાજ્યએ ડિજિટલ માધ્યમથી મુખ્ય સાક્ષીઓ અને શંકાસ્પદ કાવતરાખોરોની તપાસ કરવામાં મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને ચંદ્રબાબુ નાયડુને આરોપી તરીકે સામેલ કરવામાં થયેલા સમયની સમજાવવાની માંગ કરી છે. જોકે ચંદ્રબાબુ નાયડુએ ભારપૂર્વક કહ્યું છે કે, આ નિર્ણય રાજનીતિથી પ્રેરિત છે.

ઉલ્લેખનિય છે કે, ફાઈબર નેટ કૌભાંડ કેસમાં ચંદ્રબાબુ નાયડુની આગોતરા જામીન અરજી આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ કેસમાં આરોપી તરીકે તેમના સમાવેશના સમય અંગે ચંદ્રબાબુ નાયડુની ચિંતાઓનો જવાબ આપતા કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવા જટિલ ગુનાઓમાં તપાસ પ્રક્રિયા સ્વાભાવિક રીતે સમય માંગે છે.

  1. AP Fibernet Case : ફાઈબર નેટ કેસમાં 18 સુધી નાયડુની ધરપકડ કરવામાં નહીં આવે કારણ કે...
  2. SC affirms Designating Lawyers: સુપ્રીમ કોર્ટે વકીલોને સીનિયર એડવોકેટ્સ તરીકે નામાંકિત પ્રક્રિયાને યોગ્ય ઠેરવી

ABOUT THE AUTHOR

...view details