ગુજરાત

gujarat

Amarnath Yatra Registration : બાબા બર્ફાની કા બૂલાવા આ ગયા, અમરનાથ યાત્રા 2022નું રજીસ્ટ્રેશન આજથી શરૂ

By

Published : Apr 11, 2022, 6:09 PM IST

Updated : Apr 11, 2022, 6:31 PM IST

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે શ્રી અમરનાથ યાત્રાની નોંધણી 2020થી 2021 વચ્ચે થઈ શકી નથી, જેથી અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022)નું રજીસ્ટ્રેશન આજથી શરૂ થયું છે. વૈશ્વિક મહામારી કોરોનાને કારણે બે વર્ષ સુધી સ્થગિત કર્યા બાદ અમરનાથ યાત્રા 30 જૂન, 2022 ના રોજ શરૂ થવાની છે.

બાબા બર્ફાની કા બૂલાવા આ ગયા: અમરનાથ યાત્રા 2022નું રજીસ્ટ્રેશન આજથી શરૂ
બાબા બર્ફાની કા બૂલાવા આ ગયા: અમરનાથ યાત્રા 2022નું રજીસ્ટ્રેશન આજથી શરૂ

જમ્મુ: અમરનાથ યાત્રા 2022નું રજીસ્ટ્રેશન (Amarnath Yatra 2022 Registration) આજથી શરૂ થયું છે. કોવિડ-19 રોગચાળાને કારણે બે વર્ષ માટે સ્થગિત કર્યા પછી, વાર્ષિક અમરનાથ યાત્રા 30 જૂન 2022 થી શરૂ થવાની છે અને 11 ઓગસ્ટના રોજ તેનું સમાપન થશે.

આ પણ વાંચો:KCR protest in Delhi : વડાપ્રધાનના પોતાના રાજ્યમાં જ ખેડૂતોને રસ્તા પર ઉતરવુ પડ્યુ

30 જૂનના થશે યાત્રા શરુ -વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે શ્રી અમરનાથ યાત્રા(Amarnath Yatra 2022)ની નોંધણી 2020થી 2021 વચ્ચે થઈ શકી નથી. વૈશ્વિક મહામારી કોરોનાને કારણે બે વર્ષ સુધી સ્થગિત કર્યા બાદ અમરનાથ યાત્રા 30 જૂન, 2022 ના રોજ શરૂ થવાની છે.

આ પણ વાંચો:National Safe Motherhood Day 2022: કોરોનાવાયરસ વચ્ચે ઘરે રહેવું, માતા અને બાળકને વાયરસના ચેપથી બચાવવું

446 શાખાઓમાં નોંધણી શરૂ થશે - અમરનાથ યાત્રા 30 જૂન, 2022ના રોજ શરૂ થશે અને 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આજથી જમ્મુ અને કાશ્મીર બેંક, PNB બેંક, યસ બેંક અને SBI બેંકની દેશભરની 100 શાખાઓ સહિતની 446 શાખાઓમાં નોંધણી શરૂ થશે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન: શ્રદ્ધાળુઓ શ્રાઈન બોર્ડની મોબાઈલ એપ અને વેબસાઈટ દ્વારા પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન (Amarnath Yatra Online Registration) કરાવી શકે છે. રામબન જિલ્લામાં 3,600 શ્રદ્ધાળુઓ સમાવી શકે તેવું તીર્થસ્થાન કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. અમરનાથ શ્રાઈન બોર્ડનો અંદાજ છે કે, આ વર્ષે 300,000 થી વધુ શ્રદ્ધાળુઓ અહીં આવી શકે છે.

Last Updated :Apr 11, 2022, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details