ગુજરાત

gujarat

ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર તેમની કોલેજમાં 4000 કોરોના રસી મોકલશે

By

Published : Jun 20, 2021, 1:27 PM IST

ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલ્લા મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આનંદ નિકેતન કોલેજ ઓફ એગ્રીકલ્ચર કોલેજમા કોવિડ રસીના 4000 ડોઝ મોકલશે.

xx
ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર તેમની કોલેજમાં 4000 કોરોના રસી મોકલશે

  • ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર તેમની કોલેજમા મોકલશે રસી
  • રસીના 4000 ડોઝ મોકલવામાં આવશે
  • મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં મોકલમાં આવશે

પુણે : ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલ્લાએ જાહેરાત કરી હતી કે તેઓ કોલેજ અને તેની સંબંધિત સંસ્થાઓમાંં ત્યાં કોવિડ રસી (કોવોક્સિન) પ્રદાન કરશે જ્યા તેમણ અભ્યાશ કર્યો હતો. કૃષ્ણ એલ્લા, તેમણે બી.એસ.સી. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આનંદ નિકેતન કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી પુર્ણ કર્યું છે, હજી પણ કોલેજ સાથે સારા સંબંધ ધરાવે છે અને તે ફેકલ્ટી છે.

4 હજાર ડોઝ મોકવામાં આવશે

તેમણે કહ્યું કે તેઓ આનંદવાન કોલેજોમાં અને આનંદવાનમાં રહેતા લોકોને 4,000 કોવાક્સિન ડોઝ મોકલશે. આનંદવાનને પહેલેથી જ 2 હજાર ડોઝ મોકલવામાં આવી છે. આજથી (રવિવાર), તેમને કોવોક્સિનનો ડોઝ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચંદ્રપુર જિલ્લાના વરોરા શહેરમાં ત્યજી ગયેલા લોકોમાંથી રક્તપિત્તને દૂર કરવા માટે મહા રોગી સેવા સમિતિની આગેવાની હેઠળ મેગ્સેસે એવોર્ડ પ્રાપ્ત કરનાર બાબા આમતેએ 1949 માં આનંદવાન ટ્રીટમેન્ટ એન્ડ કેર સેન્ટર શરૂ કર્યું હતું.

સંસ્થાએ આભાર માન્યો

આનંદવાન કેન્દ્ર હવે માત્ર રક્તપિત્ત જ નહીં, બહેરા, મૂંગો, લકવાગ્રસ્ત, વૃદ્ધ, અનાથ, વિધવા અને બેરોજગારને પણ આશ્રય આપી રહ્યું છે. બાબા આમતેના પૌત્ર કસ્તુબા આમતેએ જણાવ્યું હતું કે તેઓ ખુશ છે કે મહા રોગી સેવા સમિતિ સંસ્થાઓમાંથી શિક્ષિત ડો.કૃષ્ણ એલ્લા સંસ્થાના સભ્યોને રસીકરણ આપવા આગળ આવ્યા હતા. એમણે એમ કરવા બદલ ડી.આર.કૃષ્ણનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details