ગુજરાત

gujarat

સિરિયલ કિલિંગમાં સંડોવાયેલો આતંકી દાનિશ ભટ જવાનોની ગોળીથી ફૂંકી મરાયો

By

Published : Aug 31, 2022, 4:45 PM IST

અનેક શ્રેણીબદ્ધ હત્યાઓમાં સંડોવાયેલો આતંકી દાનિશ ભટનુ શોપિયાંમાં થયુ એન્કાઉન્ટર
અનેક શ્રેણીબદ્ધ હત્યાઓમાં સંડોવાયેલો આતંકી દાનિશ ભટનુ શોપિયાંમાં થયુ એન્કાઉન્ટર

એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. પોલીસે આ માહિતી આપી હતી. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં જવાનો અને ત્રાસવાદીઓ વચ્ચે સિક્રેટ ઑપરેશન આકાર લઈ રહ્યા છે. જેમાં ભારતીય જવાનો પંથકમાં મોસ્ટ વોન્ટેડ ગણાતા ત્રાસવાદીઓનો સફાયો કરી રહ્યા છે. દાનિશને સિરિયલ કિલર માનવામાં આવતો હતો. જેની સંડોવણી પંથકમાં થયેલી કેટલીક હત્યા સાથે હોવાના ચોક્કસ ઈનપુટ સૈન્ય પાસે હતા. જેના સામે સૈન્યએ એક ગુપ્ત ઑપરેશન રચીને એને ફૂંકી માર્યો છે. Indian Army in Jammu kashmir, Jammu kashmir Millitant operation, Screat Operation in Jammu, Danish Bat Serial killar Jammu

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસે આ માહિતી આપી હતી. જમ્મુ કાશ્મીરના નાગબાલ વિસ્તારના હુશાંગપોરા ગામમાં આતંકવાદીઓની હાજરી અંગે શોપિયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મંગળવારે પોલીસ, સેના અને CRPF દ્વારા સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ, સૈન્ય અને CRPF તરફથી એક ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી હતી. છુપાયેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેનો અસરકારક રીતે જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં 3 ના એન્કાઉન્ટર થયા હતા.

આ પણ વાંચો:તાલિબાને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી પીછેહઠની પ્રથમ વર્ષગાંઠ ઉજવી

ડાનિશ ભટ્ટ ઠાર: કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે ASP શોપિયાને બાતમી મળી હતી કે નાગબલ વિસ્તારમાં 3 આતંકવાદીઓ છુપાયેલા છે. પોલીસ, સેના અને CRPF એ વિસ્તારને ઘેરી લીધો અને એન્કાઉન્ટર શરૂ થયું. આ આતંકવાદીઓમાંથી એક દાનિશ ભટ છે જે અનેક શ્રેણીબદ્ધ હત્યાઓમાં સામેલ હતો. તેની સાથે અન્ય બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા અને તેમના મૃતદેહો પણ મળી આવ્યા.

આ પણ વાંચો:કર્ણાટકમાં ટોલ પ્લાઝા સાથે બસ અથડાઈ, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

કોણ છે આઃમાર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ લાદી ઈમામસાહેબના રહેવાસી દાનિશ ખુર્શીદ ભટ, અમરબગ ઈમામસાહેબના રહેવાસી તનવીર અહેમદ વાની અને ચેરમાર્ગના રહેવાસી તૌસીફ અહેમદ ભટ તરીકે થઈ છે. પોલીસના રેકોર્ડ મુજબ, ત્રણેય આતંકવાદીઓ પોલીસ, સુરક્ષા દળો અને નાગરિક અત્યાચારો પર હુમલા સહિત અનેક આતંકવાદી ગુનાઓમાં સામેલ હતા. એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દાનિશ ખુર્શીદ ભટ અને તનવીર અહેમદ વાની યુવાનોની ભરતી કરતા હતા.

ABOUT THE AUTHOR

...view details