ગુજરાત

gujarat

આજે માતાજીનું સાતમું નોરતું, જાણો માં કાલરાત્રીની પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને ભોગ

By

Published : Oct 2, 2022, 10:21 AM IST

શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. 02 ઓક્ટોબરે એટલે કે શારદીય નવરાત્રિની સપ્તમી તિથિ છે. મહાસપ્તમી નવરાત્રિના સાતમા દિવસે (7th day of Sardiya Navratri) આવે છે. આ દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપમા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. હંમેશા શુભ પરિણામ આપવાના કારણે તેણીને શુભંકરી પણ કહેવામાં આવે છે.
આજે માતાજીનું સાતમું નોરતું, જાણો માં કાલરાત્રીની પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને ભોગ
આજે માતાજીનું સાતમું નોરતું, જાણો માં કાલરાત્રીની પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને ભોગ

ન્યુઝ ડેસ્ક: મા કાલરાત્રી દુષ્ટોનો નાશ કરવા માટે જાણીતી છે, તેથી તેનું નામ કાલરાત્રી છે. મા કાલરાત્રી મા દુર્ગાનું સાતમું સ્વરૂપ, ત્રણ આંખોવાળી દેવી છે. એવું કહેવાય છે કે, નવરાત્રિના સાતમા દિવસે (7th day of Sardiya Navratri) જે પણ મા કાલરાત્રિની આરાધના કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. મા કાલરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે. તેની સાથે જ ભૂત-પ્રેત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરે તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ મા કાલરાત્રિની પૂજાનો તિથિ અને શુભ સમય.

આજે માતાજીનું સાતમું નોરતું, જાણો માં કાલરાત્રીની પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને ભોગ

મા કાલરાત્રીનું સ્વરૂપ:એવું કહેવાય છે કે, શુંભ, નિશુમ્ભ અને રક્તબીજને મારવા માટે દેવી દુર્ગાએ કાલરાત્રીનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. દેવી કાલરાત્રીનું શરીર અંધકાર જેવું કાળું છે. તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. માતાના વાળ લાંબા અને વિખરાયેલા છે. ગળાની માળા વીજળીની જેમ ચમકે છે. માતાની ત્રણ આંખો વિશાળ અને બ્રહ્માંડ જેવી ગોળ છે. માતાના ચાર હાથ છે, જેમાં એક હાથ ખડગ એટલે કે તલવાર, બીજામાં લોખંડી શસ્ત્ર, ત્રીજો હાથ અભય મુદ્રામાં અને ચોથો હાથ વરમુદ્રામાં છે.

પૂજા પદ્ધતિ:સપ્તમી તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પૂજાની શરૂઆત કરવી (Maa Kalratri puja vidhi) જોઈએ. સ્નાન કર્યા પછી માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો. તેને લાલ ફૂલ અર્પણ કરો. મા કાલરાત્રીની પૂજામાં મીઠાઈ, પાંચ પ્રકારના ફળ, અક્ષત, ધૂપ, સુગંધ, ફૂલ અને ગોળ, નૈવેદ્ય વગેરેનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ દિવસે ગોળને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મા કાલરાત્રિને ગોળ અથવા તેમાંથી બનાવેલી વાનગી અર્પણ કરો. પૂજા પૂરી થયા પછી માતાના મંત્રોનો જાપ કરો અને તેમની આરતી કરો. દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરો.

મંત્ર

ऊं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नम:

ॐ कालरात्र्यै नम:

ॐ फट् शत्रून साघय घातय ॐ

ॐ ह्रीं श्रीं क्लीं दुर्गति नाशिन्यै महामायायै स्वाहा।

ધ્યાન મંત્ર

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।

वामपादोल्ल सल्लोहलता कण्टक भूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

મા કાલરાત્રીનો પ્રિય ભોગ:મા કાલરાત્રિને ગોળ ખૂબ પ્રિય (Maa Kalratri Bhog) છે. આથી માતાને ગોળનો ભોગ ચઢાવો, તેનાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માતા પ્રસન્ન થાય છે અને ભક્તો પર સદાય પોતાની કૃપા બનાવી રાખે છે.

ABOUT THE AUTHOR

...view details